Webdunia - Bharat's app for daily news and videos

Install App

Navratri 1st Day Recipe - ઉપવાસ છે તો બનાવી લો શિંગોડાના લોટની બરફી

Webdunia
ગુરુવાર, 3 ઑક્ટોબર 2024 (16:04 IST)
Singhara Barfi
જો તમે પણ નવરાત્રિનુ વ્રત કરી રહ્યા છો અને આ વખતે નવરાત્રિ પર કંઈક ખાસ બનાવવા માંગો છો તો તમારે આજે નવરાત્રિના પહેલા દિવસે આ શિંગોડાના લોટની બરફી જરૂર ટ્રાય કરવી જોઈએ 
 
નવરાત્રિ વ્રતમાં લોકો મોટેભાગે ફળાહાર ખાય છે. જો તમે પણ વ્રતમાં ગળ્યુ ખાવાનુ પસંદ કરો છો તો તમે આ વખતે શિંગોડાના લોટની બરફીની આ રેસીપી બનાવીને જોઈ શકો છો. સિંગોડાની બરફી બનાવવા માટે તમારે ન તો વધુ ફેંસી સામાનની જરૂર પડશે કે ન તો તમને વધુ સમય લાગશે.  આ બરફીને ખાધા પછી વ્રત દરમિયાન અનુભવાતી કમજોરી અને થાકને પણ ગાયબ થઈ જશે.  આવો જાણીએ આ બરફી બનાવવાની સહેલી રીત. 
 
પહેલુ સ્ટેપ - શિંગોડાની બરફી બનાવવા માટે સૌથી પહેલા તમારે એક  કડાહીમાં 2-3 ચમચી ઘી નાખીને તેને મઘ્યમ તાપ પર ગરમ કરવાનુ છે. ઘી ઓગળી જાય કે કઢાઈમાં એક કપ શિંગોડાનો લોટ નાખીને તેને સારી રીતે સેકી લો. 
 
બીજુ સ્ટેપ - તમારે લોટને ત્યા સુધી ચલાવતા રહેવાનુ છે જ્યા સુધી તેનો રંગ ગોલ્ડન ન થઈ જાય. ત્યારબાદ તમારે કઢાઈમાં એક કપ દૂધ નાખો.  
 
ત્રીજુ સ્ટેપ - તમારે દૂધ લોટમા એકસાથે નાખવાને બદલે થોડું-થોડું મિક્સ કરવાનું રહેશે. જ્યારે આ મિશ્રણ થોડું ઘટ્ટ થઈ જાય, ત્યારે તમારે તેમાં ત્રણ-ચોથાઈ (3/4)કપ ખાંડ નાખવી.
 
ચોથું સ્ટેપ - ખાંડ સારી રીતે મિક્સ થયા પઆ પછી તમે આ મિશ્રણમાં બારીક સમારેલા કાજુ અને બદામ પણ ઉમેરી શકો છો. બરફીનો સ્વાદ વધારવા માટે તમારે આ મિશ્રણમાં એક ચોથાઈ ચમચી ઈલાયચી પાવડર પણ નાખી શકો છો.  
 
છઠ્ઠુ સ્ટેપ - જ્યારે આ મિશ્રણ ઠંડુ થઈ  જાય તો તમે તેને બરફીના શેપમાં કાપી શકો છો.  હવે તમારી શિંગોડાની બરફી ખાવા માટે તૈયાર છે.  
 
વિશ્વાસ કરો તમને આ બરફીનો સ્વાદ ખૂબ ભાવશે. વ્રત દરમિયાન આ બરફીને ખાવાથી તમે આખો દિવસ એનર્જેટિક અનુભવશો. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આલુ દૂધી પરોઠા

વ્રત સ્પેશિયલ - વ્રત માટે ફરાળી ચેવડો રેસીપી

બાળ પ્રેરક વાર્તા- મારું ઘર સૌથી શ્રેષ્ટ છે

Skin Care Tips- કાચા દૂધમાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવો, તમારો ચહેરો સાફ દેખાશે.

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રી દરમિયાન ઘર બંધ કરીને ક્યાંક બહાર જવું જોઈએ?

નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Hanuman Puja in Chaitra Navratri: ચૈત્ર નવરાત્રિમાં કેમ જરૂરી છે હનુમાનજીની પૂજા ? અહી જાણો તેનુ મહત્વ અને નિયમ

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

આગળનો લેખ
Show comments