Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kali chaudas : નરક ચતુર્દશી પર શા માટે હોય છે બજરંગબલીની પૂજા? આ ઉપાયથી થશે લાભ

Webdunia
બુધવાર, 30 ઑક્ટોબર 2024 (09:02 IST)
"Narak Chaturdashi 2022: નવરાત્રીની સાથે જ તહેવારોની પણ શરૂઆત થઈ જાય છે. જલ્દી જ હિંદુઓનો સૌથી મોટુ તહેવાર દિવાળી પણ આવે છે પણ દિવાળીથી પહેલા એક દિવસ પહેલા ઉજવાય છે નરક ચતુર્દશી. આ દિવસથી સંકળાયેલી ઘણી માન્યતાઓ છે. તેમાંથી એક નરક ચતુર્દશી પર બરંગબલીની પૂજા પણ કરાય છે. ભગવાન શ્રીકૃષ્ણ, માતા કાલી અને મૃત્યુના દેવતા યમરાજની પૂજા વિશે તો બધા જાણે છે, પરંતુ હજુ પણ ઘણા લોકો નથી જાણતા કે આ દિવસે બજરંગબલીની પૂજાનું મહત્વ શું છે? તો ચાલો તમને જણાવીએ કે આ દિવસે બજરંગબલીની પૂજા શા માટે કરવામાં આવે છે?
 
હકીકતમાં વાલ્મીનિ રામાયણ મુજબ કાર્તિક મહીનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને હનુમાનજીનો જન્મ થયુ હતું. આ દિવસે જ નરક ચતુર્દશી પણ ઉજવાય છે. તેથી માન્યતા છે કે નરક ચતિર્દશીના દિવસે જે પણ માણસ બજરંગબલીની પૂજા-અર્ચના કરે છે, તેના જીવનના બધા સંકટથી મુક્તિ મળે છે. આ જ કારણ છે કે આ દિવસે એટલે કે નરક ચતુર્દશીને બજરંગબલીની પણ પૂજા કરાય છે. 
 
બજરંગબલીને ખુશ કરવા માટે શું કરવું? 
નરક ચતુદર્શીના દિવસે એક નારિયેળ લેવુ અને તમારા માથા પરથી સાત વાર ઉતારીને બજરંગબલીને ચઢાવી દો. કહેવામાં આવે છે કે આવુ કરવાથી તમારા જીવનની દરેક પરેશાનીનો ઉકેલ થઈ જાય છે. તે સિવાય પીપલના પાનમાં "જય શ્રી રામ" લખીને તેની એક માળા બનાવો અને આ માળાને બજરંગબલીને પહેરાવો. તેનાથી કરિયરમા% થતી પરેશાનીઓ અને મુશ્કેલીઓ દૂર થાય છે. 
 
આ ઉપાયોથી પણ થશે લાભ 
નરક ચતુદર્શીના દિવસે સૂર્યોદયથી પહેલા ઉઠીને તલના તેલથી માલિશ કરવી અને પાણીમાં તલ નાખી સ્નાન કરવું. નરક ચતુર્દશીના દિવસે સ્નાન કર્યા પછી માથા પર કંકુઅથી ચાંદલો લગાવી અને દક્ષિણ દિશાની તરફ મોઢુ કરીને તલના જળથી યમરાજનુ તર્પણ કરવું. તેનાથી નરકમાં મળતી પરેશાનીઓથી મુક્તિ મળે છે. 
 
શું ન કરવું? 
નરક ચૌદસને મંદિર, રસોડું, તુલસી, પીપળ, વડ કે આંબાના ઝાડ નીચે ગંદા ન કરો. આ દિવસે અહીં સાફ કરો અને દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને જીવનમાં શાંતિ રહે છે. આ દિવસે દીપદાનનું પણ ખૂબ મહત્વ છે.

Edited By- Monica sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Jya Jya Nazar Mari Thare - જ્યા જ્યા નજર મ્હારી ઠરે, યાદી ભરી ત્યાં આપની

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

Gujarati Recipe- ડુંગળીની ચટણી

વધુ જુઓ..

નવીનતમ

Akshaya Tritiya Wishes 2025 : અક્ષય તૃતીયા પર આ સુંદર સંદેશની સાથે આપો તમારા સ્નેહીજનોને હેપી અક્ષય તૃતીયાની શુભેચ્છા, માતા લક્ષ્મી આપશે આશીર્વાદ

તુલસીના કુંડા પાસે ન મુકશો આ 5 વસ્તુ , નહી તો થઈ જશો બરબાદ

April Masik Shivratri 2025: શનિવારે માસિક શિવરાત્રીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મંત્ર

Masik Shivratri Upay: જો બગડી ગઈ છે આર્થિક સ્થિતિ, તો માસિક શિવરાત્રી પર કરો આ નાનું કામ

Shukra Pradosh Vrat 2025: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે ઘરે લાવો આ એક વસ્તુ, સદા ભરેલી રહેશે તિજોરી

આગળનો લેખ
Show comments