Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીના દિવસે અહી પ્રગટાવશો દિવો તો મળશે શુભ ફળ

Webdunia
શનિવાર, 14 ઑક્ટોબર 2017 (16:19 IST)
દિવાળી પર પ્રદોષકાળનો સમય સાંજે 5.38 વાગ્યાથી લઈને રાત્રે 8.14 મિનિટ સુધી રહેશે.  આ કાળમાં લક્ષ્મી પૂજનનુ સૌથી શુભ મુહૂર્ત છે.  
 
ભારતના સૌથી મોટા તહેવારોમાંથી દિવાળી એક છે. કારતક મહિનાની અમાસના દિવસે દિવાળીના તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે. આ વર્ષે દિવાળી 19 ઓક્ટોબર 2017ના રોજ ઉજવાશે. દિવાળીના તહેવારના દિવસે પ્રકાશનુ પોતાનુ જુદુ જ મહત્વ છે. પ્રકાશ માટે પારંપારિક રીતે દીવાને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. દિવાળીના તહેવાર પર ઘરને દિવાથી ઝગમગ કરવામાં આવે છે. 
 
દિવાળી પર દીવા પ્રગટાવાની એક જુદી જ માન્યતા છે. એવુ માનવામાં આવે છે કે દિવાળી પર દિવા પ્રગટાવવાથી ભગવાન ગણેશ અને મા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે.  આ ઉપરાંત દિવાને શુભ સંકેતના રૂપમાં પણ જોવામાં આવે છે. આવો જાણીએ દિવાળી પર ક્યા ક્યા દીવા પ્રગટાવવા જોઈએ... 
 
1. સૌથી પહેલા દિવાળી પર મા લક્ષ્મીની ફોટો આગળ ઘી નો એક મોટો દિવો પ્રગટાવવો ખૂબ શુભ ફળદાયક રહે છે.. 
 
2. આ ઉપરાંત આખા ઘરમાં તેલનો દિવો પ્રગટાવવો જોઈએ. ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજા પર જરૂર દિવો પ્રગટાવવો જોઈએ. ઘરના મંદિરમાં પણ દીવો પ્રગટાવવો જોઈએ. 
 
3. આ ઉપરાંત ઘરમાં રહેલ બારી અને અગાશી પર પણ દીવો પ્રગટાવવો જોઈએ. ઘરના રસોડામાં પણ દીવો પ્રગટાવવો જોઈએ. આવુ કરવાથી ઘરમાં દરેક સમયે અન્ન બનાવી રહે છે. અન્નની કમી નથી રહેતી. ઘરના રૂમના ઉંબરા પર પણ દીવો પ્રગટાવવો જોઈએ. 
 
4. ઘરના ઉપરાંત ઘરની બહાર પણ અનેક સ્થાન પર દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે.  ઘરની બહાર જો કોઈ ચારરસ્તા છે તો ત્યા પણ દીવો પ્રગટાવવો જોઈએ.. ઘરની નિકટ કોઈ મંદિર છે તો ત્યા પણ દીવો પ્રગટાવવો જોઈએ. 
 
5 દિવાળીની રાત્રે પીપળના ઝાડ નેચે દીવો પ્રગટાવવાની માન્યતા છે. એવુ માનવામાં આવે છે કે તેનાથી મા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments