Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kali Chaudas 2024 Upay: અકાળ મૃત્યુથી મેળવવા માંગો છો છુટકારો ? તો કાળી ચૌદસના દિવસે જરૂર કરો આ ઉપાય

Webdunia
બુધવાર, 30 ઑક્ટોબર 2024 (13:18 IST)
Kali Chaudas 2024: દર વર્ષે કારતક મહિનામાં કૃષ્ણ ચતુર્દશીના દિવસે કાળી ચૌદસ ઉજવાય છે. આજે એટલે કે 30 ઓક્ટોબરના રોજ કાળી ચૌદસ ઉજવાય રહી છે.  છોટી દિવાળીને નરક ચતુર્દશી, નરક ચૌદસ અને કાળી ચૌદસ પણ કહેવામાં આવે છે. છોટી દિવાળીના દિવસે દેવી લક્ષ્મી, કુબેર દેવ અને મૃત્યુના દેવ યમરાજની પૂજા કરવાની પરંપરા છે. જો તમે પિતૃ દોષ અથવા અકાળ મૃત્યુથી છુટકારો મેળવવા માંગતા હોવ તો છોટી દિવાળીના દિવસે લેવામાં આવેલા કેટલાક સરળ ઉપાયો તમારી સમસ્યાને દૂર કરી શકે છે.
 
ધાર્મિક માન્યતા મુજબ કાળી ચૌદસના દિવસે કેટલાક ઉપાયો કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળી શકે છે અને સાથે જ મૃત્યુના દેવતા યમરાજની કૃપા પણ પ્રાપ્ત કરી શકાય છે. તો આવો જાણીએ કાળી ચૌદસ એટલે નરક ચતુર્દશીના દિવસે કયા ઉપાય કરવા જોઈએ.  
 
 કાળી ચૌદસનુ શુભ મુહુર્ત શુ છે  ?  
પંચાંગ અનુસાર કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 30 ઓક્ટોબરે બપોરે 1.15 કલાકે શરૂ થશે. આ તારીખ બીજા દિવસે 31મી ઓક્ટોબરે બપોરે 3.52 કલાકે પૂરી થશે.  કાળી ચૌદસ પર પૂજા માટેનુ શુભ મુહુર્ત  30 ઓક્ટોબરે સાંજે 4:36 થી 6:15 સુધીનુ રહેશે.
 
કાળી ચૌદસે કોની પૂજા કરવામાં આવે છે ?  
ધાર્મિક પરંપરાઓ અનુસાર, કાળી ચૌદસના દિવસે યમરાજની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે યમરાજના નામનો દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નરક ચતુર્દશીના દિવસે ભગવાન યમની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. તેમજ સાંજે દીપકનું દાન કરવાથી નરકના ત્રાસમાંથી મુક્તિ મળે છે.
 
કાળી ચૌદસના દિવસે શુ કરવુ જોઈએ?
કાળી ચૌદસના દિવસે સવારે ઉઠીને ભગવાન કૃષ્ણ, હનુમાનજી, યમરાજ અને મા કાલીનું પૂજન કરવું જોઈએ. નરક ચતુર્દશી (નરક ચતુર્દશી 2024) ના દિવસે ઉત્તર-પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવી જોઈએ. કાળી ચૌદસના દિવસે ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુએ અનાજનો ઢગલો કરો. તેના પર સરસવના તેલનો એકતરફી દીવો પ્રગટાવો. ધ્યાન રાખો કે દીવાની જ્યોત દક્ષિણ દિશા તરફ હોવી જોઈએ. 
 
કાળી ચૌદસના દિવસે શુ ઉપાય કરવા જોઈએ ?( kali chaudas upay)
કાળી ચૌદસના દિવસે દીપદાન જરૂર કરો  
કાળી ચૌદસના દિવસે ઘરના મોટા સદસ્યએ યમના નામનો મોટો દિવો પ્રગટાવવો જોઈએ. 
આ ચોમુખી દિવાને આખા ઘરમાં ફેરવવો જોઈએ 
ત્યારબાદ ઘરની બહાર જઈને થોડે દૂર આ દિવાને મુકી આવો. 
ધ્યાન રાખો કે આ દરમિયાન પરિવારના બીજા સભ્ય ઘરની અંદર જ રહેવુ જોઈએ અને દિવાને ન જુએ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શાહરૂખ ખાન તંદૂરી ચિકનનો દીવાનો છે, જાણો તેને ઘરે દેશી રીતે બનાવવાની ટિપ્સ

લીવરમાં જમા થયેલી ગંદકી થશે દૂર, ખાલી પેટ પીવો ઔષધીય ગુણોથી ભરપૂર આ પીણાં

Mithun Rashi Girl Names- મિથુન રાશિ ક, છ,ઘ પરથી જાણો છોકરીના નવા નામ

Moong Sprouts Bhel- મગ સ્પ્રાઉટ્સ ભેળ

અનેક પ્રકારની હોય છે પેટની ચરબી, જાણો તમારા પેટ પર કયા પ્રકારની ચરબી થઈ રહી છે જમા અને તે કેવી રીતે ઘટાડવી

વધુ જુઓ..

નવીનતમ

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

Bada Mangal 2025: પહેલા મોટા મંગળ પર, આ વિધિ અને નિયમ સાથે બજરંગબલીની પૂજા કરો

Buddha Purnima Wishes 2025: બુદ્ધ પૂર્ણિમા પર મિત્રો અને સંબંધીઓને આ સંદેશાથી આપો શુભકામનાઓ

Vaishakh Purnima 2025: વૈશાખ પૂર્ણિમાની રાત્રે આ 4 જગ્યાએ દીવા પ્રગટાવો, તમે દેવાથી મુક્ત થશો અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

આગળનો લેખ
Show comments