Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળી પર જોઈએ મા લક્ષ્મીની કૃપા તો આ સ્થાન પર દીવો જરૂર પ્રગટાવો

Webdunia
બુધવાર, 18 ઑક્ટોબર 2017 (11:55 IST)
પ્રકાશ(દીવા)નો તહેવાર છે દિવાળી. આ દિવસે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દિવા પ્રગટાવવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે આ રાત મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. આ જ કારણે દિવાળી પર લક્ષ્મીને ખુશ કરવા માટે અનેક ઉપાય કરવામાં આવે છે. દિવાળી પર મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે આ સાત સ્થાન પર દિવો જરૂર પ્રગટાવવો જોઈએ. એવુ કહેવાય છે કે જ્યારે લક્ષ્મી રાત્રે ઘરે આવે તો તેમને એ સ્થાન પર દીવા પ્રગટાવેલા જરૂર મળવા જોઈએ. ત્યારે જ મા લક્ષ્મી એ સ્થાન પર રોકાય છે. આવો જાણીએ કયા સ્થાન પર દીવો પ્રગટાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
તિજોરી - તિજોરીને ધનનુ સ્થાન કહેવામાં આવે છે. તેથી દિવાળી પર તિજોરીમાં સુરક્ષિત સ્થાન પર દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. 
 
વાહન પાસે - જ્યોતિષ મુજબ વાહન પણ આપણી સંપત્તિ છે અને દિવાળીના દિવસે ઘરમાં દરેક વાહન પાસે સુરક્ષિત રીતે દિવો જરૂર પ્રગટાવવો જોઈએ. 
 
નળ કે પાણીના કોઈ સ્ત્રોત પાસે - ઘરમાં જળના સ્ત્રોત જ્યા જમીનમાંથી પાણી નીકળી રહ્યુ હોય ત્યા દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. એવુ કહેવાય છે કે તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
ઘરના મુખ્ય દરવાજા પાસે - દિવાળી પર બધા લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજાને સજાવે છે કારણ કે અહીથી મા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે.  તેથી દિવાળીની રાત્રે મુખ્ય દરવાજા પર બે દિવા જરૂર પ્રગટાવવા જોઈએ. 
 
ભંડાર ગ્રહ - ઘરનું ભંડાર ગ્રહ સૌથી મહત્વપૂર્ણ સ્થાન હોય છે. જ્યોતિષ મુજબ આ સ્થાન પર દિવો પ્રગટાવવાથી મા લક્ષ્મી ઘરમાં ક્યારેય ઘરમાં અન્નની કમી થવા દેતી નથી. 
 
કિચનમાં દિવાળીની રાત્રે ઘરના કિચનમાં પણ દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. કિચનને ઘરનુ સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. 
 
દિવાળીની રાત્રે પૂજા ઘરમાં ચારેય ખૂણામાં ચતુર્મુખી દીવો પ્રગટાવવો જોઈએ અને કોશિશ કરવી જોઈએ કે દિવાળીની આખી રાત અહી દીવો બળતો રહે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments