Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળી પર જોઈએ મા લક્ષ્મીની કૃપા તો આ સ્થાન પર દીવો જરૂર પ્રગટાવો

Webdunia
બુધવાર, 18 ઑક્ટોબર 2017 (11:55 IST)
પ્રકાશ(દીવા)નો તહેવાર છે દિવાળી. આ દિવસે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દિવા પ્રગટાવવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે આ રાત મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. આ જ કારણે દિવાળી પર લક્ષ્મીને ખુશ કરવા માટે અનેક ઉપાય કરવામાં આવે છે. દિવાળી પર મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે આ સાત સ્થાન પર દિવો જરૂર પ્રગટાવવો જોઈએ. એવુ કહેવાય છે કે જ્યારે લક્ષ્મી રાત્રે ઘરે આવે તો તેમને એ સ્થાન પર દીવા પ્રગટાવેલા જરૂર મળવા જોઈએ. ત્યારે જ મા લક્ષ્મી એ સ્થાન પર રોકાય છે. આવો જાણીએ કયા સ્થાન પર દીવો પ્રગટાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
તિજોરી - તિજોરીને ધનનુ સ્થાન કહેવામાં આવે છે. તેથી દિવાળી પર તિજોરીમાં સુરક્ષિત સ્થાન પર દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. 
 
વાહન પાસે - જ્યોતિષ મુજબ વાહન પણ આપણી સંપત્તિ છે અને દિવાળીના દિવસે ઘરમાં દરેક વાહન પાસે સુરક્ષિત રીતે દિવો જરૂર પ્રગટાવવો જોઈએ. 
 
નળ કે પાણીના કોઈ સ્ત્રોત પાસે - ઘરમાં જળના સ્ત્રોત જ્યા જમીનમાંથી પાણી નીકળી રહ્યુ હોય ત્યા દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. એવુ કહેવાય છે કે તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
ઘરના મુખ્ય દરવાજા પાસે - દિવાળી પર બધા લોકો પોતાના ઘરના મુખ્ય દરવાજાને સજાવે છે કારણ કે અહીથી મા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે.  તેથી દિવાળીની રાત્રે મુખ્ય દરવાજા પર બે દિવા જરૂર પ્રગટાવવા જોઈએ. 
 
ભંડાર ગ્રહ - ઘરનું ભંડાર ગ્રહ સૌથી મહત્વપૂર્ણ સ્થાન હોય છે. જ્યોતિષ મુજબ આ સ્થાન પર દિવો પ્રગટાવવાથી મા લક્ષ્મી ઘરમાં ક્યારેય ઘરમાં અન્નની કમી થવા દેતી નથી. 
 
કિચનમાં દિવાળીની રાત્રે ઘરના કિચનમાં પણ દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. કિચનને ઘરનુ સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. 
 
દિવાળીની રાત્રે પૂજા ઘરમાં ચારેય ખૂણામાં ચતુર્મુખી દીવો પ્રગટાવવો જોઈએ અને કોશિશ કરવી જોઈએ કે દિવાળીની આખી રાત અહી દીવો બળતો રહે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments