Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhanteras 2022- ઘરમાં સમૃદ્ધિ મેળવા ઘનતેરસ પર કરો આ વસ્તુઓની ખરીદી, થશે મા લક્ષ્મીની કૃપા

Webdunia
શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (12:54 IST)
Dhanteras - દીપના તહેવાર શરૂ થવામાં માત્ર થોડા જ દિવસ બાકી છે. તેની શરૂઆત ધનતેરસથી થાય છે. આ વખતે ધનતેરસનો તહેવાર 23 ઓક્ટોબરને ઉજવાશે. આ દિવસે ખરીદી કરવી ખૂબ શુભ ગણાય છે. તેથી આ દિવસે કેટલીક વસ્તુ એવી છે જેન ખરીદી કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ દિવસે કેટલીક વસ્તુઓ એવી છે, જેના દ્વારા ખરીદી કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
 
ધનતેરસના દિવસે શું ખરીદવું?
1.  લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ ખરીદો અને દીપાવલીના દિવસે તેમની પૂજા કરો. 
2. જો તમે પણ ધનતેરસના દિવસે નવી કાર લેવા માંગો છો, તો તમે તે કરી શકો છો પરંતુ તેના માટે અગાઉથી પૈસા ચુકવી દેજો. 
3. દિવાળીના દિવસે શ્રીયંત્ર ખરીદવુ શુભ ગણાય છે. આ યંત્ર મા લક્ષ્મીને ખૂબ પ્રિય હોય છે. તેથી જે ઘરમાં તેની પૂજા થાય છે, ત્યાં માતા લક્ષ્મીની કૃપા વરસે છે. તેથી 
 
ધનતેરસના દિવસે શ્રીયંત્રની ખરીદી જરૂર કરવી. 
4. સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવી શુભ છે. આ દિવસે રત્ન ખરીદવાથી પણ લાભ થાય છે
5. મા લક્ષ્મીને ઝાડુ ખૂબ જ પ્રિય છે. તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી જ જોઈએ. આ દિવસે સાવરણી ખરીદવાથી ગરીબી દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
6. આ દિવસે પ્રોપર્ટી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે
7. આ દિવસે દક્ષિણાવર્તી શંખ, કમળકાકડી, ધાર્મિક સાહિત્ય અને રૂદ્રાક્ષની માળા ખરીદવી શુભ માનવામાં આવે છે.
8. ધનતેરસના દિવસે મીઠું ખરીદીને લાવવાથી ઘરમાં ધન અને શાંતિ આવે છે.
9. સ્ટીલ અને પિત્તળના વાસણો ખરીદી શકો છો. 
10. જો તમે આ દિવસે કપડાં ખરીદો તો સફેદ કે લાલ કપડાંને પ્રાધાન્ય આપો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારથી પરેશાન છો ? સૂતા પહેલા આ ઘરેલું ઉપાયો અજમાવો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments