suvichar

Delhi Triple Murder - પુત્ર એ જ કરી માતા, પિતા અને બહેનની હત્યા, આ કારણે કરી ત્રણેયની હત્યા

Webdunia
બુધવાર, 4 ડિસેમ્બર 2024 (22:21 IST)
Delhi Triple Murder Case: દિલ્હીના ટ્રિપલ મર્ડર કેસનો થોડા કલાકો બાદ જ પોલીસે  કર્યો ખુલાસો. પોલીસનું કહેવું છે કે ઘરના પુત્ર અર્જુને તેના માતા-પિતા અને બહેનની હત્યા કરી.  ત્યારબાદ તે મોર્નિંગ વોક માટે નીકળી ગયો હતો. પૂછપરછ બાદ તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે.
 
ઉલ્લેખનીય છે કે રાજેશ કુમાર (51), તેમની પત્ની કોમલ (46) અને તેમની પુત્રી કવિતા (23)ની દિલ્હીના નેબ સરાય વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસનું કહેવું છે કે ઘરની અંદર કોઈ અન્ય વ્યક્તિના પ્રવેશના કોઈ નિશાન મળ્યા નથી. વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં કોઈ દેખાતું નહોતું. આવી સ્થિતિમાં પોલીસની શંકા દંપતીના પુત્ર અર્જુન પર પડી અને જ્યારે તેની કડક પૂછપરછ કરવામાં આવી તો તેણે ખુલાસો કર્યો કે ઘરેલું ઝઘડાના કારણે આરોપીએ તેના માતા-પિતા અને બહેનની છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી.
 
જો સૂત્રો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ કેસમાં દક્ષિણી રેન્જના જોઈન્ટ સીપી એસકે જૈને જણાવ્યું હતું કે પોલીસને ઘરમાં ચોરી અથવા બળજબરીથી પ્રવેશવાના કોઈ નિશાન મળ્યા નથી અને ડેડબોડી બેડ પર પડેલી હતી. જેના પરથી સ્પષ્ટ થયું કે આ કોઈ લૂંટ કે ચોરીનો મામલો નથી. તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. પોલીસે મુખ્ય ફરિયાદી અને ઘરના પુત્ર અર્જુનની પૂછપરછ કરતાં તેણે હત્યાની વિગતો ખુલવા માંડી અને અંતે તેણે તેના પિતા, માતા અને બહેનની હત્યાની કબૂલાત કરી.
 
આ રીતે આરોપી અર્જુને બતાવ્યું હત્યાનું કારણ  
જોઈન્ટ સીપી એસકે જૈનનું કહેવું છે કે અર્જુને પૂછપરછ દરમિયાન પોલીસને કહ્યું કે તેના પિતા અને પરિવાર સાથે તેના સંબંધો સારા નથી. તેમના પિતા ભૂતપૂર્વ સૈનિક હતા. તેણે ગુનો કરવા માટે આર્મીની છરીનો ઉપયોગ કર્યો હતો. આ હત્યાઓ પાછળનો હેતુ એ હતો કે અર્જુનના પિતા તેને વારંવાર ઠપકો આપતા હતા. જેના કારણે તેણે અપમાનિત અનુભવ્યું. બીજું કારણ ભાઈ-બહેનની દુશ્મનાવટ હતી. બંને ભાઈ-બહેન માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ હતા. તેથી અર્જુને ગુસ્સામાં તેને મારી નાખવાની યોજના બનાવી. તેણે હત્યા માટે 4 ડિસેમ્બરની તારીખ પસંદ કરી કારણ કે તે જ દિવસે તેના માતાપિતાની લગ્નની વર્ષગાંઠ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મહાત્મા દાદુ દયાળ કોણ હતા? તેમણે કયા આંદોલનનું નેતૃત્વ કર્યું?

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

Breakfast Special Idli- પરફેક્ટ ઈડલી બનાવવાની સરળ રીત

સુગરી અને વાંદરાની વાર્તા

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

વધુ જુઓ..

નવીનતમ

Sridevi deahth mystery- જાણો દુબઈ હોટલના બાથટબમાં શ્રીદેવી સાથે શું થયું હતું

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આજે પણ યુવકોને લગ્ન માટે વર્જિન યુવતી જોઈએ - નીના ગુપ્તા

આગળનો લેખ
Show comments