Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેડૂત આંદોલન પર વિદેશી હસ્તિયોના ટવીટ પર કપ્તાન વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેનો કરારો જવાબ

Webdunia
ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (09:52 IST)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી ચેન્નઈમાં 5 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ટીમ ઈન્ડિયા હાલમાં ચેન્નઈમાં આ ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહી છે. આ દરમિયાન ખેડૂત આંદોલન અંગે વિદેશી હસ્તીઓએ ટ્વીટ બાદ ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઉપ-કપ્તાન અજિંક્ય રહાણેએ લોકોને અપીલ  કરી છે કે તેઓ ટ્વિટર દ્વારા એક થઈને રહે. 
 
વિરાટે એક ટ્વિટમાં લખ્યું, 'આ મતભેદના આ સમયમાં આપણે બધા સાથે રહીએ. ખેડૂત આપણા દેશનો અભિન્ન ભાગ છે. મને વિશ્વાસ છે કે બંને પક્ષોની સંમતિથી આ મુદ્દાનો ઉકેલ આવશે, જે શાંતિ લાવશે અને આપણે સાથે મળીને આગળ વધીશું.

<

Let us all stay united in this hour of disagreements. Farmers are an integral part of our country and I'm sure an amicable solution will be found between all parties to bring about peace and move forward together. #IndiaTogether

— Virat Kohli (@imVkohli) February 3, 2021 >
અજિંક્ય રહાણેએ ટ્વીટમાં લખ્યું છે કે, 'એવો કોઈ મુદ્દો નથી કે જે આપણે સાથે મળીને ઉકેલી ન શકીએ. ચાલો સાથે મળીને ઉભા રહીએ અને આપણા આંતરિક મુદ્દાઓનો ઉકેલ લાવીએ'

<

There’s no issue that cannot be resolved if we stand together as one. Let’s remain united and work towards resolving our internal issues #IndiaTogether

— Ajinkya Rahane (@ajinkyarahane88) February 3, 2021 >
 
શુ છે સમગ્ર મામલો 
 
છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. નવા કૃષિ બિલ અંગે આ આંદોલન ચાલી રહ્યું છે. 26 જાન્યુઆરીએ, ખેડૂતોએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી નુ આયોજન કર્યુ હતુ. જે દરમિયાન હિંસા પણ થઈ હતી. દિલ્હીમાં કેટલાક સ્થળોએ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવી પડી હતી. આ સમગ્ર મામલામાં પોપ સ્ટાર રિહાના, સ્વીડિશ ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કર્યુ. 
 
વિરાટ અને રહાણે સિવાય માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, પ્રજ્ઞાન ઓઝા, સુરેશ રૈના, અનિલ કુંબલે જેવા દિગ્ગજ ક્રિકેટરો પણ ટ્વિટર દ્વારા આ મુદ્દે બોલ્યા છે-

<

India’s sovereignty cannot be compromised. External forces can be spectators but not participants.
Indians know India and should decide for India. Let's remain united as a nation.#IndiaTogether #IndiaAgainstPropaganda

— Sachin Tendulkar (@sachin_rt) February 3, 2021 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments