Biodata Maker

વેસ્ટઈંડીજની સામે આખરે ટી-20માં થઈ શકે છે પંત બહાર, આવી હોઈ શકે છે પ્લેઈંગ 11

Webdunia
મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (11:50 IST)
ટીમ ઈંડિયાએ વેસ્ટઈંડીજ પ્રવાસનો શાનદાર શરૂઆત કરી છે. ત્રણ મેચની ટી-20 સીરીજમાં વિરાટ સેનાએ રમેલા બન્ને મુકાબલામાં જીત દાખલ કરી છે. હવે આજે એટલે કે મંગળવારએ ટીમ ગુયાનામાં સીરીજનો પોતનો આખરે મુકાબલો રમવા ઉતરશે. આ સમયે ક્લીન સ્વીપના ઈરાદાથી ઉતરતા ટીમમાં ઘણા ફેરફાર પણ જોવા મળી શકે છે અને કેટલાક નવા ખેલાડીઓને અવસર મળી શકે છે. 
 
આવો જાણીએ ટીમ ઈંડિયાનો આજના પ્લેઈંગ XI ના વિશે જે આખરે મુકાબલામાં ઉતરી શકે છે. 
 
ઓપનર્સ
ટીમ ઈંડિયાના સલામી બેટ્સમેન શિખર ધવન પહેલા ટી-20માં અસફળ રહ્યા હતા પણ બીજા મેચમા તે ફરી રંગમા નજર આવ્યા. તેમજ રોહિતએ પણ પાછલા મેચમાં અર્ધશતકીય પારી રમી અને ધવનની સાથે મળીને ટીમની સારી શરૂઆત અપાવી. તેથી વિરાટ આ જોડી સાથે છેડછાડ કરવા નથી ઈચ્છતા. 
 
મિડિલ ઓર્ડર 
કપ્તાન વિરાટ કોહલી મધ્યક્રમના નેતૃત્વ કરશે અને ત્રીજા નંબર પર જ બેટીંગ કરતા જોવાઈ શકે છે. નંબર ચાર પર કેએલ રાહુલને પંતની જગ્યા અવસર મળી શકે છે. કારણ કે ઋષભ પંતએ બન્ને પારીઓમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. 
 
તેમજ મનીષ પાંડેની જગ્યા ટીમમાં આજે શ્રેયસ અય્યરને અવસર મળી શકે છે. પંતની રીતે જ મનીષ પાંડે પણ બન્ને મુકાબલામાં ફેલ રહ્યા છે.
 
ઑલરાઉંડર 
ઑલરાઉંડરની ભૂમિકામાં  કુળાલ પંડ્યા અને રવીન્દ્ર જાડેજાની જગ્યા આશરે પાકી છે કારણ કે બન્ને જ સારા ફાર્મમાં છે. બન્ને ઑલરાઉંડર ખેલાડીઓએ મેચમાં રન બનાવવાની સાથે સાથે ટીમ માટે વિકેટ પણ કાઢ્યા છે. તેથી આ બન્નેનો ફરી રમવું નક્કી છે. 
 
બોલીંગ 
અહીં પર નવદીપ સૈની, ભુવનેશ્વર કુમારની સાથે ફાસ્ટ બૉલર દીપક ચાહરને અવસર મળી શકે છે. દીપકએ બન્ને મેચમાં અવસર નહી મળ્યું હતું પણ આજે તેને આજમાવી શકાય છે. તે સિવાય સ્પિન બૉલીંગ રાહુલ ચાહરને પણ આજે વાંશિગ્ટન સુંદરની જગ્યા ટીમમાં અવસર આપી શકાય છે.  
 
સંભવિતXI ખેલાડી 
રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, નવદીપ સૈની, દીપક ચાહર, રાહુલ ચાહર 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Dhanu rashi girl name - ધન રાશિ પરથી છોકરીઓ - છોકરાઓના નામ

Dinner Recipe- જીરા રાઈસ અને દાળ તડકા - એક 'ક્લાસિક' અને દરેકનું પ્રિય ભોજન

Pillow Cleaning Tips- જો તમારા ઓશીકામાંથી દુર્ગંધ આવે છે અથવા તેના પર પીળા ડાઘ પડી ગયા છે, તો

Saffron water: કેસરનું પાણી પીવાથી શું થાય છે, જાણો ક્યારે પીવું સ્વાસ્થ્ય માટે વધુ લાભકારી ?

Jyotiroa Phule Jayanti 2026: જ્યોતિરાવ ફુલેની સ્ટોરી, જેમણે બદલી નાખ્યુ ભારતનુ ભવિષ્ય

વધુ જુઓ..

નવીનતમ

Asha Bhosle Death LIVE Updates- આશા ભોંસલેના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થશે? ગાયિકાના નિધનથી ચાહકો આઘાતમાં છે

Asha Bhosle Death - આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન; ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી છવાઈ ગઈ

ઉજ્જૈનમાં જોવાલાયક સ્થળો

આશા ભોંસલેની તબિયત અચાનક બગડી ગઈ, તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

Gujarati Jokes - કાયમી ગ્રાહક

આગળનો લેખ
Show comments