Publish Date: Thu, 06 Mar 2025 (18:28 IST)
Updated Date: Thu, 06 Mar 2025 (18:31 IST)
Mohammed Shami Roza Controversy
દુબઈમાં રમાઈ રહેલ ICC ચેમ્પિયંસ ટ્રોફી 2025ની સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં સ્થાન બનાવ્યુ. આ જીતમાં ઝડપી બોલર મોહમ્મદ શમીની મુખ્ય ભૂમિકા રહી, જેણે 10 ઓવરમાં 48 રન આપીને 3 વિકેટ લીધી. પણ તેમની આ શાનદાર ઉપલબ્ધિથી વધુ ચર્ચા તેમની એક તસ્વીરને લઈને થઈ રહી છે. જેમા તેઓ મેદાન પર એનર્જી ડ્રિંક પીતા જોવા મળ્યા. રમજાનનો મહિનો હોવાને કારણે આ તસ્વીરે એક નવો વિવાદ ઉભો કર્યો. ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રજવી બરેલવીએ આને ગુનાહ ગણાવી દીધો. બીજી બાજુ સામાન્ય લોકો અને કેટલાક મુસ્લિમ લોકો આના પક્ષ-વિપક્ષમા વહેચાઈ ગયા. આ ઘટના રમતને ધર્મ વચ્ચે સંતુલન પર એક ઊંડા સવાલને જન્મ આપે છે.
મૌલાનાનુ નિવેદન અને તેનો આધાર - મૌલાના શહાબુદ્દીને શમીને રોજા ન રાખવાને લઈને ચુસ્ત વલણ અપનાવ્યુ. તેમનુ કહેવુ છે કે રોજા ઈસ્લામના અનિવાર્ય કર્તવ્યોમાંથી એક છે. જો કોઈ સ્વસ્થ પુરૂષ રોજા નથી રાખતો તો તે મોટો અપરાધી છે. શમીએ મેચ દરમિયાન એનર્જી ડ્રિંક પી ને ખોટો સંદેશ આપ્યો. એ શરીયતની નજરમાં ગુનેગાર છે. મૌલાનાનુ તર્ક છે કે શમી જો રમી રહ્યા છે તો એ સ્વસ્થ છે અને સ્વસ્થ હોવા છતા રોજા ન રાખવા ઈસ્લામિક નિયમોનુ ઉલ્લંઘન છે. તેમના આ નિવેદને સોશિયલ મીડિયા પર હોટ ડિસ્કશન શરૂ કરી દીધુ છે. કેટલાક લોકોએ આને યોગ્ય ઠેરવુઉ તો કેટલાકે તેને અતિવાદ ગણાવ્યો.
મૌલાનાના આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ. કેટલાક લોકોએ કહ્યુ, શમી એક ખેલાડી છે, તેને મેદાન પર હાઈડ્રેટ રહેવુ જરૂરી છે. તેમા ખોટુ શુ છે ? તો કેટલાકે મૌલાનાનુ સમર્થન કરતા કહ્યુ, રમઝાનમાં રોજા તોડવા ખોટી વાત છે. ભલે એ ક્રિકેટર કેમ ન હોય. પણ સવાલ એ છે કે શુ શમીનુ આવુ કરવુ શુ ખરેખર અપરાધ હતો ? કે પછી આ ફક્ત એક રમતનો ભાગ હતો ?
અમે આ વિશે સામાન્ય મુસ્લિમ સમુદાય અને કેટલાક માહિતગારો સાથે વાત કરી. એક વ્યક્તિએ કહ્યુ, જો કોઈ બીમાર છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં છે તો શરીયતમાં રોજા છોડવાની મંજુરી છે. શમી ગરમીમા 10 ઓવરની બોલિંગ કરી રહ્યા હતા, કદાચ તેમની મજબૂરી હતી. બીજી બાજુ એક મૌલવીએ કહ્યુ, જો શમી સ્વસ્થ હતા તો રોજા કરવા તેમનો ધર્મ હતો. પણ આ તેમનો વ્યક્તિગત મામલો છે તેને આટલુ તૂલા આપવુ ઠીક નથી.
શમીનો પક્ષ અને સમર્થન -શમીએ અત્યાર સુધી આ વિવાદ પર કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યુ પણ તેમા સમર્થકોનુ કહેવુ છે કે એક ખેલાડી માટે મેદાન પર પ્રદર્શન સૌથી જરૂરી છે. NCP-SCP ધારસભ્ય રોહિત પવારે કહ્યુ, જો શમીને લાગે છે કે રોજા રાખવાથી તેમની પરફોર્મેંસ પ્રભાવિત થશે. તો તે દેશ માટે રમતા તેને છોડી શકે છે. તે કટ્ટર ભારતીય છે અને દરેક મુસ્લિમ તેમના પર ગર્વ કરે છે. રમતમાં ધર્મને ન લાવવો જોઈએ" આ જ રીતે શિયા મૌલવી યાસૂબ અબ્બાસે મૌલાનાના નિવેદનને સસ્તી લોકપ્રિયતાનો હથકંડો બતાવ્યો અને કહ્યુ કે રોજા ન રાખવા તેમનો વ્યક્તિગત મામલો છે. શમીના ભાઈ મોહમ્મદ જૈદ એ પણ કહ્યુ, યાત્રા દરમિયાન રોજા છોડવાની શરીયતમાં મંજુરી છે. શમી દેહ્સ માટે રમી રહ્યા છે તેમા ખોટુ શુ છે ?
મુસ્લિમ સમુહ અને સામાન્ય લોકોના વિચાર - આ મામલે મુસ્લિમ સમુહની અંદર પણ મતભેદ છે. કેટલાકનુ માનવુ છે કે રમજાનમાં રોજા તોડવા ખોટી વાત છે. ખાસ કરીને જ્યારે શમી જેવા પ્રભાવશાળી વ્યક્તિ આવુ કરે. એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યુ, ફુટબોલર 90 મિનિટ સુધી રોજા રાખીને રમે છે. શમી પણ આવુ કરી શકતા હતા. બીજી બાજુ બીજાનુ કહેવુ છે કે શરીયતમાં બીમારી કે મુશ્કેલ પરિસ્થિતિમાં રોજા છોડવાની છૂટ છે. "10 ઓવર બોલિંગ કરવી સરળ નથી, ખાસ કરીને દુબઈની ગરમીમાં. તે મજબૂરી હોઈ શકે છે," એક પંડિતે કહ્યું. સામાન્ય લોકોમાં પણ આ અંગે ચર્ચા ચાલી રહી છે - કેટલાક તેને વ્યક્તિગત સ્વતંત્રતા માને છે, જ્યારે કેટલાક તેને ધાર્મિક નિયમોનું ઉલ્લંઘન માને છે.
રમતગમત અને ધર્મ વચ્ચે સંઘર્ષ: આ પહેલી વાર નથી જ્યારે રમતગમત અને ધર્મ વચ્ચે સંઘર્ષ ઉભો થયો હોય. ભૂતકાળમાં, રાશિદ ખાન, મોઈન અલી અને હાશિમ અમલા જેવા ખેલાડીઓએ રમઝાન દરમિયાન રમવાના નિર્ણયથી ચર્ચા જગાવી છે. હાશિમ અમલા ઉપવાસ રાખીને રમ્યા હતા, જ્યારે ઘણા ખેલાડીઓ સંજોગોને આધારે તેને છોડી દેતા હતા. શમીનો કેસ મોટો બન્યો કારણ કે તે ભારત જેવા દેશનો છે, જ્યાં રમતગમત લાગણીઓ અને ઓળખ સાથે જોડાયેલી છે. પ્રશ્ન એ છે કે - ખેલાડીનું પહેલું કર્તવ્ય દેશ માટે બજાવવાનું છે કે પોતાના ધર્મના નિયમોનું પાલન કરવાનું?
શું સાચું છે? આ વિવાદના બે પાસાં છે. પ્રથમ, ધાર્મિક નિયમોની કઠોરતા. મૌલાનાનું નિવેદન ઇસ્લામિક શરિયા પર આધારિત છે, પરંતુ તે આધુનિક સંદર્ભને અવગણતું હોય તેવું લાગે છે. બીજું, રમતની માંગણીઓ. ક્રિકેટ જેવી રમત માટે શારીરિક અને માનસિક શક્તિની જરૂર હોય છે, અને ડિહાઇડ્રેશન ખેલાડી માટે ખતરનાક બની શકે છે. શમીએ ભારતને જીત અપાવી, અને તે તેની વ્યાવસાયિક ફરજનો એક ભાગ હતો. શરિયતમાં મુસાફરી અથવા સ્વાસ્થ્યના આધારે મુક્તિની જોગવાઈ પણ છે, જેને મૌલાનાએ અવગણી હતી. આ વિવાદ એ પણ દર્શાવે છે કે જાહેર વ્યક્તિઓ પાસેથી સમાજની અપેક્ષાઓ કેટલી જટિલ હોઈ શકે છે.
મોહમ્મદ શમીના એનર્જી ડ્રિંક વિવાદ રમત અને ધર્મ વચ્ચે સંતુલન જાળવવાના પડકારને ઉજાગર કરે છે. મૌલાનાનું નિવેદન કટ્ટરતાને પ્રોત્સાહન આપી શકે છે, પરંતુ શમીના સમર્થનમાં ઉઠેલા અવાજો વ્યક્તિગત સ્વતંત્રતા અને રાષ્ટ્રીય ફરજની વાત કરે છે. સત્ય એ છે કે આ વ્યક્તિગત નિર્ણયનો મામલો છે, જેને બિનજરૂરી રીતે વધારીને ઉડાડી દેવામાં આવ્યો હતો. શમીએ દેશ માટે જે કર્યું તે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સમાજે તેમની સિદ્ધિઓ પર ગર્વ કરવો જોઈએ અને તેમની વ્યક્તિગત પસંદગીઓને લક્ષ્ય બનાવવી જોઈએ નહીં. શું તમે સહમત છો? કૃપા કરીને તમારો અભિપ્રાય જણાવો.
webdunia
Publish Date: Thu, 06 Mar 2025 (18:28 IST)
Updated Date: Thu, 06 Mar 2025 (18:31 IST)