Webdunia - Bharat's app for daily news and videos

Install App

India vs Sri lanka 1st TEST: ટીમ ઈંડિયાએ શ્રીલંકાને 304 રનથી ધોયુ.. સીરિઝમાં 1-0થી આગળ

Webdunia
શનિવાર, 29 જુલાઈ 2017 (16:58 IST)
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાય રહેલ ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ ટીમ ઈંડિયાએ 306 રનથી જીતી લીધી છે. આર અશ્વિન અને રવિન્દ્ર જડેજાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી અને શ્રીલંકાનો ફાઈનલ સ્કોર 245/8 રહ્યો. કપ્તાન રંગના હેરાથ અને અસેલા ગુણારત્ને ઘાયલ થવાથી બેટિંગ ન કરી શક્યા.  બંને ફિલ્ડિંગ દરમિયાન ઘાયલ થયા હતા. 
 
શ્રીલંકાએ 550 રનના ટારગેટનો પીછો કરતા 240 રન સુધી સાતમી વિકેટ ગુમાવી હતી અને આઠમી વિકેટ 245 રન પર પડી. આર અશ્વિને નિરોશન ડિકવેલા પછી સલામી બેટ્સમેન દિમુત કરુણારત્નેને આઉટ કરી ભારતને મેચમાં શાનદાર કમબેક કરાવ્યુ. નુવાન પ્રદીપ ત્યારબાદ ખાતુ ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા.  આ રીતે અશ્વિનના ખાતામાં 3 વિકેટ થઈ ચુકી .. બીજી બાજુ અંતિમ વિકેટ રવિન્દ્ર જડેજાના ખાતામાં ગઈ. 
 
સંપૂર્ણ સ્કોરકાર્ડ જોવા માટે અહી ક્લિક કરો.. 
 
ડિકવેલા 67 રન બનાવીને વિકેટ પાછળ રિદ્ધિમાન સાહાને કેચ થમાવીને પરત ફર્યા જ્યારે કે કરુણારત્ને સેંચુરીથી માત્ર 3 રનોથી ચુકી ગયા. 116 રન પર શ્રીલંકાને ચોથી ઝટકો લાગ્યો હતો.  ત્યારબાદ દિમુત કરુણારત્ને અને નિરોશન ડિકવેલા ક્રીઝ પર અડી રહ્યા. બંનેને ટી-બ્રેક સુધી સ્કોર 192 સુધી પહોંચાડી દીધો હતો.  
આ પહેલા રવિન્દ્ર જડેજાએ બૈક ટૂ બૈક કુસલ મેંડિસ અને એંજલો મૈથ્યૂઝની વિકેટ લઈને શ્રીલંકાને સંપૂર્ણ રીતે બૈકફુટ પર ઢકેલી દીધો. મેંડિસ 36 અને મૈથ્યૂઝ 2 રન બનાવીને આઉટ થયા. આ પહેલા લંચ બ્રેક સુધી શ્રીલંકાએ બે વિકેટ પર 85 રન બનાવી લીધા હતા. ભારત તરફથી અશ્વિન જડેજાએ 3-3 વિકેટ જ્યારે કે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવે એક એક વિકેટ લીધી.  ભારતે શ્રીલંકા સામે જીત માટે 550નુ લક્ષ્ય મુક્યુ હતુ.  જવાબમાં મેજબાન ટીમ 29 રન સુધી બે વિકેટ ગુમાવી ચુક્યુ હતુ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments