Webdunia - Bharat's app for daily news and videos

Install App

Good News on કોરોના વૈક્સીન : PM મોદી બોલ્યા - સફળતાના નિકટ ભારત, કિમંત-ટીકાકરણ વિશે જાણો 10 ખાસ વાતો

Webdunia
શુક્રવાર, 4 ડિસેમ્બર 2020 (15:14 IST)
કોરોના વેક્સીનને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે  એક મોટું નિવેદન આપ્યું. પીએમ મોદીએ સર્વપક્ષીય બેઠકમાં કહ્યું કે ભારતને આગામી કેટલાક અઠવાડિયામાં જ વૈક્સીન મળી શકે છે, દેશના વૈજ્ઞાનિકો મોટી સફળતાની નજીક છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વૈક્સીનની કિમંત, તેના વિતરણ અને રાજ્યો સાથે સમન્વય અંગે ખુલીને વાત કરી. સર્વપક્ષીય બેઠકમાં ડઝનથી લગભગ એક ડઝનથી ધુ રાજકીય પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા.
 
પીએમ મોદીએ વૈક્સીન વિશે શું કહ્યું, જાણો દસ મોટી બાબતો ...
 
1. ભારત રસી બનાવવાના ખૂબ નજીક છે અને દેશના વૈજ્ઞાનિકો ખૂબ ઉત્સુક છે. દેશને આગામી થોડા અઠવાડિયામાં જ આ વૈક્સીન મળી શકે છે.
 
2. દેશમાં કુલ આઠ વૈક્સીન પર ટ્રાય્લ ચાલુ રહી છે, કારણ કે ભારતમાં 3 વૈક્સીન બની રહી છે, જ્યારે કે દુનિયાની અનેક વૈક્સીનનુ ઉત્પાદન પણ ભારતમાં  થવાનું છે.
 
3. ભારતે એક વિશેષ સોફ્ટવેયર, Co-WiN. બનાવ્યું છે. જેમાં સામાન્ય લોકો કોરોના વૈક્સીનથી ઉપલબ્ધ સ્ટોક અને તેની સાથે જઓડાયેલ બધી મહિતી ઉપલબ્ધ રહેશે. 
 
4. એક નેશનલ એક્સપર્ટ ગ્રુપ બનાવ્યુ છે. પીએમ મોદી મુજબ આ ગ્રુપમાં કેંદ્રના લોકો, રાજ્ય સરકારના લઓકો અને એક્સપર્ટ છે. કોરોના વૈક્સીનના વિતરણ પર આ જ ગુપ સામૂહિત રૂપથી નિર્ણય લેશે. 
 
5. કોરોના વૈક્સીન પહેલા વૃદ્ધો, કોરોના વોરિયર્સ અને વધુ બીમાર લોકોને આપવામાં આવશે. વિતરણ માટે નીતિ બનાવવામાં આવશે, જે અંતર્ગત વિવિધ જુદા જુદા તબક્કા રહેશે. 
 
6. વૈક્સીનની કિમંત શુ રહેશે, તેના પર કેન્દ્ર અને રાજ્ય મળીને નિર્ણય કરશે. કિમંત પર નિર્ણય લોકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે અને રાજ્ય તેમાં ભાગ લેશે.
 
7. આ વૈક્સીનના વિતરણને લઈને કેન્દ્ર અને રાજ્યની ટીમો મળીને કામ કરશે. ભારત પાસે રસી વિતરણ કરવાની ક્ષમતા દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે. 
 
8. દેશના દરેક ખૂણામાં રસી પહોંચાડવા માટે કોલ્ડ ચેનને મજબૂત બનાવવી પડશે. કેન્દ્ર અને રાજ્ય મળીને તેના પર કામ કરી રહ્યા છે.
 
9. ભારત આજે એવા દેશોમાંથી એક છે જ્યાં દરરોજ ટેસ્ટ સૌથી વધુ થાય છે. આ ઉપરાંત રિકવરી રેટ પણ સૌથી વધુ છે અને મોતની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
 
10. કોરોના વિરુદ્ધની લડાઈમાં વિકસિત દેશોને ઘણી મુશ્કેલી થઈ છે પણ ભારતે એક રાષ્ટ્રના રૂપમાં સારુ કામ કર્યુ છે. રાજનીતિક દળોએ વૈક્સીન વિતરણ સાથે જોડાયેલ કોઈપણ પ્રકારની અફવા ફેલાવવાથી રોકવી જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસનો ઘરેલું ઉપાય - આજથી જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો, ડાયાબિટીસ થશે કંટ્રોલ

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

વધુ જુઓ..

નવીનતમ

Dhanush ની ફિલ્મના સેટ પર લાગી ભીષણ આગ, સળગતી આગનો વીડિયો વાયરલ

Urvashi Rautela Mandir: જે મંદિર પર ઉર્વશી રૌતેલા કરી રહી છે દાવો શુ છે તેનો ઈતિહાસ ?

બ્રાહ્મણ પર હું ...' વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ અનુરાગ કશ્યપ મુશ્કેલીમાં, હવે માંગી માફી, કહ્યું- 'દીકરી અને પરિવાર...'

ગુજરાતી જોક્સ - લાઈટ જાય છે

ગુજરાતી જોક્સ - બબલૂ- પાપા દારૂડિયા કોને કહે છે

આગળનો લેખ
Show comments