Webdunia - Bharat's app for daily news and videos

Install App

સવારે દુકાનો ખોલાવી અને બપોરે બંધ, સરકારના બદલાતા નિર્ણયથી લોકોમાં અનેક તર્કવિતર્ક

Webdunia
રવિવાર, 26 એપ્રિલ 2020 (18:29 IST)
ગુજરાતમાં આજથી કેટલીક દુકાનો અને કામ ધંધા શરૂ કરવાની છૂટ આપ્યાને 6 કલાકમાં જ સરકારે આ છૂટછાટ પાછી ખેંચી લેતા પ્રજામાં પ્રશ્નાર્થ ઉભો થયો છે કે પાછી ખેંચવાનું કારણ શું છે કેસો વધ્યા કે ભારે ભીડ થવા લાગી હતી. ગુજરાત સરકારએ ગઈકાલે સાંજે જ જાહેરનામું બહાર પાડી કેટલીક ચોક્કસ દુકાનો અને ચોક્કસ વિસ્તારમાંની જ દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. આજે સવારે 8 વાગે દુકાનો ચાલુ થવા લાગી અને બપોર સુધીમાં તો આ નિર્ણય એકાએક પાછો ખેંચી લેવામાં આવ્યો છે. આ અંગે પ્રજામાં પ્રશ્ન ઉભા થયા છે કે, એવું તે શું થયું કે માત્ર 6 કલાકમાં નિર્ણય પાછો ખેંચી લીધો, પ્રજા પૂછે છે કે, શું ગુજરાતના આ ચાર શહેરોમાં એકાએક કેસો વધી ગયા,? એવું હોય તો સરકારે જાહેર કરવું જોઈએ કે કેસો વધતા છૂટછાટ પાછી ખેંચી લીધી છે. જો એવું ના હોય તો શું સવારથી દુકાનો ખુલતા ભીડ થઈ ગઈ હતી અને ડિસ્ટન્સિંગનું પાલન થતું ન હતું, જો એવુ હોય તો પણ જાહેર કરવું જોઈએ કે લોકો માનતા ન હતા એટલે પાછું ખેંચવું પડ્યું છે નહીં તો દુકાનો ચાલુ થયા પછી લોક ડાઉન ભંગ ના કેશો વધી ગયા હોય તો એ પણ જાહેર કરવું જોઈએ, પ્રજામાં એવો પણ ભય છે કે, લોકડાઉનમાં રહેતી પ્રજા પણ સરકારના બદલાતા નિર્ણયોથી પરેશાન થઈ ગઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments