Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકડાઉન મુદ્દે અમદાવાદના હોટસ્પોટમાં કોઈ છૂટ નહીં મળે

Webdunia
મંગળવાર, 14 એપ્રિલ 2020 (14:07 IST)
કોરોના પોઝિટિવના નવા 31 કેસો સાથે અમદાવાદમાં પોઝિટિવ કેસોનો આંકડો 351 પર પહોંચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોટસ્પોટ વિસ્તારોમાં કોઈ છૂટછાટ ન આપવા નિર્ણય કર્યો છે તેથી અમદાવાદના તમામ હોટસ્પોટ વિસ્તારોમાં કોઈ છૂટ નહીં મળે. કોરોનાના પગલે દેશભરમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવાયું છે. લોકડાઉન વધારવામાં આવતા શેલ્ટર હોમમાં રહેલા મજૂરો પોતાના વતનમાં જવાની જીદને લઈ બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરી શકે છે. કાયદો વ્યવસ્થા જળવાય તેને લઈ આવા શેલ્ટર હોમ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં,ચેકપોસ્ટ પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરો રહે છે ત્યાં પેટ્રોલિંગ કરવા આદેશ આપવામા આવ્યા છે. લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયામાં લોકો બીભત્સ અને ઉશ્કેરણીજનક લખાણ લખતા હોવાને લઇ સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયા પર નજર રાખતી હોય છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફેસબુક પર કોરોના વાઇરસને લઈ  બીભત્સ લખાણ લખનાર બે શખ્સ સામે અલગ અલગ ગુના નોંધ્યા છે. બિલાલ ખાન પઠાણ નામના યુવકે ફેસબુક પ્રોફાઈલ પર બીભત્સ લખાણ લખનાર સામે ગુનો નોંધ્યો છે. જ્યારે જુનેદ ફસારી ખાન નામના યુવકે ખાનગી ચેનલની પત્રકાર સામે બીભત્સ લખાણ લખ્યું હતું. તેમજ બિસ્કિટ અને તમાકુ, પાન બીડીવાળા સામે ઉપરાંત દારૂની બોટલ મૂકીને પણ બીભત્સ લખાણ લખ્યું હતું. જેથી સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments