Webdunia - Bharat's app for daily news and videos

Install App

IOCLના કોન્ટ્રાકટ પરના 400થી વધુ કર્મચારીઓને પગાર ન મળતા હોબાળો

Webdunia
મંગળવાર, 12 મે 2020 (12:47 IST)
વડોદરા શહેરના છેવાડે કોયલી ગામ પાસે આવેલી IOCLના કોન્ટ્રાકટ પરના 400થી વધુ કર્મચારીઓને 2 મહિનાથી પગાર ન મળતા કંપનીના ગેટ બહાર હોબાળો મચાવ્યો હતો અને 2 મહિનાનો પગાર ચુકવવાની માંગ કરી હતી. કોરોના વાઈરસને લઇને લોકડાઉનમાં કોઈનો પગાર ન રોકવાના સરકારનો આદેશ હોવા છતાં IOCLના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને માર્ચ અને એપ્રિલ માસનો પગાર ચુકવવામાં આવ્યો નથી. જેને પગલે કર્મચારીઓનો રોષ જોવા મળી રહ્યો છે. બે મહિનાનો પગાર ન મળતા કર્મચારીઓને પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયું છે. જેથી આજે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ IOCL ગેટ ઉપર એકત્ર થયા હતા અને હોબાળો મચાવ્યો હતો અને 2 મહિનાનો પગાર આપવાની માંગ કરી હતી. લોકડાઉનમાં પગાર ન મળતા ખુબ જ મુશ્કેલીમાં મુકાઇ ગયા છીએ IOCLના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં પગાર ન મળતા ખુબ જ મુશ્કેલીમાં મુકાઇ ગયા છીએ અને પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયું છે. અમને પગાર મળે તો અમારી મુશ્કેલી દૂર થઇ શકે તેમ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments