Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત: છેલ્લા એક દિવસમાં કોરોનામાં 725 નવા કેસ નોંધાયા, સંક્રમિત લોકોની સંખ્યા 36 હજારને પાર

Webdunia
મંગળવાર, 7 જુલાઈ 2020 (10:01 IST)
વીતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધુ 735  નવા કેસ નોંધાયા છે, રાજ્યમાં તેના કુલ કેસ વધીને 36,858 થયા છે. અહીં આ ચેપને લીધે આજના દિવસે વધુ 17  દર્દીઓનાં મોત નીપજ્યાં, જેના કારણે કુલ મૃત્યુઆંક વધીને 1,962  થઈ ગયો. આરોગ્ય વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
 
આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 201, અમદાવાદ કોર્પોરેશનમાં 168, વડોદરા કોર્પોરેશનમાં 55, સુરત-40, ભાવનગર કોર્પોરેશન 26, બનાસકાંઠા 24, ભરૂચ 18, અમદાવાદ 15, રાજકોટ કોર્પોરેશન 14, ગાંધીનગર13, વલસાડ 13, મહેસાણા 12, કચ્છ 11, વડોદરા 10, જૂનાગઢ કોર્પોરેશન 9, ખેડા 9, ભાવનગર 9, પંચમહાલ 8, સાબરકાંઠા 8, નવસારી 8, અમરેલી 7, રાજકોટ 7, જૂનાગઢ 6, જામનગર કોર્પોરેશન 5, સુરેન્દ્રનગર 5, દાહોદ 5, ગાંધીનગર કોર્પોરેશન 4, મોરબી 4, તાપી 4, પાટણ 3, છોટા ઉદેપુર 3, અરવલ્લી 2, મહિસાગર 2, બોટાદ 2, ગીર સોમનાથ 2, જામનગર 2 અને આણંદમાં 1 કેસ નોંધાયો છે.
 
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 17 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 4, સુરત 2, અરવલ્લી 2, બનાસકાંઠા અને ખેડામાં એક-એક દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1962 લોકોનાં કોરોનાના કારણે મોત થયા છે.
 
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 26323 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 8573 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 વેલ્ટીલેટર પર છે અને 8504 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,18,464 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments