Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોધરામાં બેરિકેડિંગ કરવા પહોંચી પોલીસ ટીમ પર હુમલો, ભીડે કર્યો પથ્થરમારો

Webdunia
શુક્રવાર, 1 મે 2020 (12:33 IST)
કોરોના વાયરસ સામે જંગ લડી રહેલા ફ્રન્ટલાઇન વોરિયર્સ પર સતત થઇ રહેલા હુમલાના સમાચારોએ સરકારની ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં વધુ એક કિસ્સો ગુજરાતના પંચમહાલનો છે. અહીં ગોધારાના એક મહોલ્લામાં પોલીસ અને રોડ અને બિલ્ડીંગ વિભાગની ટીમના જવાન પર લોકોએ હુમલો કરી કર્યો હતો. પોલીસે પણ તોફાની તત્વો પર ટિયર ગેસ છોડ્યા હતા. આ હુમલામાં પોલીસકર્મી ઘાયલ થયા હતા. પોલીસે બે તોફાનીતત્વોની ધરપકડ કરી લીધી છે. 
 
જાણકારી અનુસાર કોરોન્ટાઇનવાળા વિસ્તારમાં પોલીસ અને રોડ અને બિલ્ડીંગ વિભાગની ટીમ બેરિકેડિંગ કરવા પહોંચી હતી. કોરોન્ટાઇનવાળા વિસ્તારમાં લક્ષ્મણરેખા તાણવાની હતી. કોરોના યોદ્ધાઓની મદદ કરવાના બદલે તોફાનીતત્વોએ લોકડાઉનની મજાક બનાવી દીધી. જોત જોતા ભીડ હિંસક થઇ ગઇ, જેના હાથમાં જે મળ્યું તે ફેંકવા લાગ્યા. લોકોએ પથ્થર અને ખુરશીઓ વડે પોલીસ પર હુમલો કર્યો. ત્યારબાદ પોલીસે ભીડ પર કાબૂ મેળવવા માટે ટિયર ગેસ છોડ્યા. જાણકારી અનુસાર આ હુમલા દરમિયાન 1 પોલીસકર્મીને ઇજા પહોંચી છે. જ્યારે 2 ઉપદ્વવીની ધરપકડ કરવામાં આવી છે. 
 
મધ્ય પ્રદેશના જબલપુરમાં પણ લોકડાઉનનું પાલન કરાવનાર પોલીસ પહોંચી તો કેટલાક લોકો ઘરની બહાર જોવા મળ્યા. પોલીસે કારણ પૂછ્યું તો હંગામો થયો. નારાજ લોકોએ પોલીસની સાથે હાઇપાઇ, ગાળાગાળી અને પોલીસની લાકડી ઝુંટવી લેવાનો પ્રયત્ન કર્યો. પોલીસ ઘણા લોકો વિરૂદ્ધ FIR નોંધાવી હતી.  
 
ગત થોડા દિવસો પહેલાં અલગ-અલગ જગ્યાએથી કોરોના પર હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં સ્વાસ્થ્યકર્મીઓ અને પોલીસવાળા પર કેટલાક લોકોએ હુમલાની જાણકારી સામે આવી હતી. મેડિકલ અને પોલીસ ટીમ કાનપુરના જુગિયાના મોહલ્લામાં કોરોના પોઝિટિવ લોકોને લેવા ગઇ હતી. ત્યારે લગભગ 50-60 લોકોએ આ ટીમ પર હુમલો કરી દીધો. 
 
28 એપ્રિલના રોજ પશ્વિમ બંગાળના હાવડાથી સમાચાર આવ્યા હતા. કોરોના મહામારી સાથે લડી રહેલા સ્વાસ્થ્યકર્મીઓ અને સુરક્ષાકર્મીઓની સાથે હિંસાની ઘટનાઓ આખા દેશમાં ચિંતા વધારી રહી છે. અત્યારે જ્યારે તેમના પર ખૂબ મોટી જવાબદારી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments