Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat corona update - આજે ગુજરાતમાં 1009 કેસ સાથે સંક્રમિતોની સંખ્યા 64,684, આજ સુધી 47,561 લોકો થયા રિકવર

Webdunia
મંગળવાર, 4 ઑગસ્ટ 2020 (09:57 IST)
ગુજરાતમાં આજે કોરોનાના 1009 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 22 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2509 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,614 એક્ટિવ કેસ છે, જ્યારે 47,561 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમા કુલ સંક્રમિતોની સંખ્યા 64,684 પર પહોંચી છે, જ્યારે 14,614 એક્ટિવ કેસ છે.
 
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1,009 નવા કેસ નોંધાયા છે જ્યારે 22 લોકોના મોત થયા છે. સુરતની વાત કરીએ તો 258 નવા કેસ સામે આવ્યા છે જ્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વધુ 151 કેસ નોંધાયા છે. વડોદરાની વાત કરીએ તો વધુ 98 કેસ જ્યારે રાજકોટમાં 85 નવા કેસ નોંધાયા છે.
 
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 6, સુરતમાં 5, ભાવનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, કચછ 1, રાજકોટ 1, વડોદરા કોર્પોરેશન 1 મળી કુલ 22 લોકોના મોત થયા હતા.
 
સુરત કોર્પોરેશનમાં 198, અમદાવાદ કોર્પોરેશનમાં 139, વડોદરા કોર્પોરેશનમાં 80, રાજકોટ કોર્પોરેશનમાં 70, સુરતમાં 60 કેસ નોંધાયા હતા. દાહોદની વાત કરીએ તો 29 નવા કોરોના કેસ જ્યારે જામનગરમાં 34, ભાવનગરમાં 47, ખેડા જિલ્લામાં વધુ 20 કેસ નોંધાયા છે. અમરેલીની વાત કરીએ તો 19 જ્યારે ભરૂચમાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આપને જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં દૈનિક ધોરણે 1000થી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે આજે પણ આ આંકડો 1 હજારને પાર છે. આ સાથે હવે ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત કેસોનો આંકડો કુલ 64,684 કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 2,509 એ પહોંચ્યો છે. માહિતી મુજબ 47,561 દર્દી ડીસ્ચાર્જ થયા છે. જ્યારે 63 વેન્ટીલેટર પર છે. કુલ એક્ટિવ કેસ 14,614 છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments