Biodata Maker

સુરતમાં રહેતા પરપ્રાંતિય શ્રમિકોએ વતન જવાના ફોર્મ ભરવા લાઈન લગાવી

Webdunia
મંગળવાર, 28 એપ્રિલ 2020 (14:40 IST)
લોકડાઉનની સ્થિતિમાં સુરતમાં રહેલા પરપ્રાંતિયોને વતન મોકલવા માટેની કામગીરી ચાલી રહી છે. જેમાં સાંસદ સી.આર.પાટીલના અભિયાનમાં સોમવારે વધુ 1600 અરજીઓ ઓનલાઇન જિલ્લા કલેકટરને ઓનલાઈન મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે. હાલ પણ વતન જવાના ફોર્મ ભરવા માટે લાંબી લાઈનો લાગે છે. સવારે 4 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા રહી જાય છે.
વતનથી હજારો કિલોમીટર દૂર સુરતમાં રહીને પેટિયું રળતા પરપ્રાંતીઓને પોતાના વતન મોકલવા માટે સાંસદ સી.આર.પાટીલ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરતથી વધુ ચાર બસો રવાના થઈ હતી. જેમાં યુપી તરફ એક બસ અને ઓરિસ્સા તરફ ત્રણ બસો જવા માટે રવાના થઇ છે. પરપ્રાંતિયોને પોતાના વતન મોકલવા માટેની વ્યવસ્થા ઉભી થતા જ સી.આર.પાટીલ કાર્યાલયે લોકોની લાંબી કતાર લાગી છે.
વતન જવા ઇચ્છુક લોકોની 1600 જેટલી અરજીઓ સી.આર.પાટીલ કાર્યાલયથી ઓનલાઇન જિલ્લા કલેકટરને મોકલી આપવામાં આવી છે. આ અરજીઓને પરવાનગી મળ્યા બાદ જે તે વાહનમાં લોકો પોતાના વતન જઈ શકશે. અત્રે નોંધનીય છે કે, હાલ સુધીમાં સી.આર.પાટીલ કાર્યાલય પર શરૂ કરવામાં આવેલા કેન્દ્રમાં હાલ સુધીમાં 9800થી વધુ અરજીઓ આવી ચૂકી છે.
સી આર પાટીલએ જણાવ્યું હતું કે, વતન જવા માટેની પરવાનગી મેળવવા અરજી કરનાર વ્યક્તિ અને પરિવાર ની અરજી નું સરકારે આપેલી ગાઇડલાઇન પ્રમાણે વેરિફિકેશન કરવામાં આવે છે. ત્યારબાદ અરજીઓને કલેકટર કચેરી મોકલવામાં આવે છે. જેથી કચેરીના કર્મચારીઓની અરજી વેરિફિકેશન માં કામગીરી માં રાહત થઈ શકે અને કામગીરી સરળ બને.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

12મા બોર્ડ પરીક્ષા- ટૉપર્સના ટૉપ ટિપ્સ

વેલેંટાઈન ડે પર પાર્ટનર આપો સરપ્રાઈઝ રોઝ પન્ના કોટા

હોઠ કેમ કડક થઈ જાય છે? ફક્ત 5 મિનિટમાં તેમને મુલાયમ બનાવવાની સરળ ટિપ્સ જાણો

Dayanand Saraswati Jayanti 2026: દયાનંદ સરસ્વતી જયંતી ? જાણો ધાર્મિક મહત્વ

Nibandh- ગુજરાતી નિબંધ - શિયાળાની સવાર, હેમંતનું પરોઢ( ધોરણ 8-9 માટે)

વધુ જુઓ..

નવીનતમ

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

ઉદિત નારાયણ પર લાગ્યો બળજબરીથી ગર્ભાશય કાઢવાનો આરોપ, પહેલી પત્નીએ કર્યો ખુલાસો, ફરિયાદ નોંધાઈ

ગોવિંદાએ કરણ જોહરને આપી ચેતાવણી, ગોવિંદા નામ મેરા, પર ભડક્યા અભિનેતા, બોલ્યા - રજનીકાંતની જેમ બધાની વચ્ચે પ્રસાદ આપીશ

રણવીર સિંહના ઘરની વધી સિક્યોરિટી, બંદૂકધારીઓને જોઈને ગભરાયા સોસાયટી મેમ્બર, પોલીસ સુધી પહોચી વાત

Somnath jyotirlinga temple- સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments