Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટેલિ મેડીસીન થકી કોરોનાની સારવાર આપવા નવો પ્રોજેક્ટઃ આરોગ્ય સચિવ જયંતિ રવિ

Webdunia
મંગળવાર, 28 એપ્રિલ 2020 (10:05 IST)
કોરોના વાયરસનું સંક્રમણ થતું અટકાવવા અને અન્ય રોગોના દર્દીઓને માર્ગદર્શન માટે રાજ્ય સરકારે ટેલિ મેડીસીન થકી સારવાર આપવા નવતર પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેમાં એમ.ડી ફિઝિશિયન, એમ.ડી પ્રિડ્રિયાટ્રિશિયન, ડર્મેટોલોજીસ્ટ અને ગાયનેકોલોજીસ્ટ જેવા તજજ્ઞો દ્વારા સવારે 10 થી સાંજના 5 સુધી માર્ગદર્શન આપવામાં આવે છે, જેનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ છે. આરોગ્ય કમિશનરની કચેરીએથી તેનું સંકલન કરાઈ રહ્યું છે.
31 જિલ્લાના નાગરિકો ટેલિ મેડીસીનનો લાભ લઈ રહ્યા હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. ઉપરાંત રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરસના સંક્રમણે અટકાવવા માટે રાજ્યનું વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ અને પ્રતિબધ્ધ છે. રાજ્યમાં જે પોઝીટીવ કેસો નોંધાયા છે તે પૈકી 89 ટકા કેસો અમદાવાદ, સુરત અને વડોદરાના છે.
જ્યારે 27 જિલ્લામાં 11 ટકા પોઝીટીવ કેસો હોવાનું તેમણે ઉમેર્યું છે. સમગ્ર રાજ્યમાં રવિવારે એક જ દિવસમાં કુલ 230 નવા કેસ અને 19ના મોત થતા કુલ દર્દીઓ 3301 થયા છે જ્યારે મૃત્યુઆંક 152 થયો છે. આજે વડોદરામાં કોરાનાને કારણે એક મહિલા દર્દીનું મોત થયું છે. જ્યારે બોટાદમાં 6 વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વન નેશન વન ઈલેક્શનને મળી મંજૂરી, મોદી કેબિનેટમાં પ્રસ્તાવ થયો પાસ

ભારે વરસાદને કારણે પ્રશાસને કેદારનાથ પદયાત્રાનો માર્ગ રાત્રે બંધ કરવાનો નિર્ણય લીધો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Delhi Crime: જન્મદિવસ પર ઓપન ડ્રેનેજમાં પડવાથી યુવકનુ મોત, રાત્રે મિત્રો સાથે કરી હતી પાર્ટી

બાળકો માટે આજે શરૂ થશે ખાસ સ્કીમ, 1000 રૂપિયામાં ખોલાશે ખાતું

આગળનો લેખ
Show comments