Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના કોરોના હોટસ્પોટ વિસ્તારો સ્ટેજ-2ના એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયાં

Webdunia
શુક્રવાર, 24 એપ્રિલ 2020 (17:53 IST)
ગુજરાતમાં કોરોનાને કારણે સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ગુજરાતમાં નવા કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાત હજુ બીજા સ્ટેજમાં છે. પરંતુ ગુજરાત માટે સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે, અમદાવાદ સહિતના હોટસ્પોટ વિસ્તારો સ્ટેજ-2ના એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયાં છે. ગુજરાતના આ હોટસ્પોટ વિસ્તારોમાં કોરોના કોમ્યુનિટી ટ્રાન્સફર થવાની દહેશત છે. કોરોનાને લઈ ગુજરાત માટે ગંભીર બાબત એ છે કે, કેટલાક વિસ્તાર એડવાન્સ સ્ટેજમાં હોવાનું સામે આવ્યું છે. બીજા સ્ટેજથી એક કદમ આગળ કેટલાક હોટસ્પોટ વિસ્તારમાંથી આવતા કેસ એડવાન્સના આવે છે. હાલ ગુજરાતના  ચાર મોટા શહેરો(અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ)માં 15 જેટલા કોરોનાના હોટસ્પોટ વિસ્તારો છે. ગુજરાતમાં કુલ 15 હોટસ્પોટ વિસ્તાર છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ભાવનગર સામેલ છે. ગુજરાતમા હાલ કુલ 2624 કેસ કોવિડ 19ના છે, જે ગુજરાતના 29 જિલ્લાઓમાં છે. પરંતુ ગુજરાત માટે આ અતિગંભીર સમાચાર એ છે કે, હોટસ્પોટમાં કમ્યુનિટી ટ્રાન્સફર વધશે. અત્યાર સુધી ગુજરાત કોરોના કેસ મામલે બીજા સ્ટેજમાં હતું, હવે ત્રીજુ સ્ટેજ આવશે, જેને ભયજનક માનવામાં આવે છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ પણ કહ્યું હતું કે, 10થી વધુ હોટસ્પોટ વિસ્તારો હવે ત્રીજા સ્ટેજમાં પ્રવેશ કરશે. અહીંથી મોટા પ્રમાણમાં કમ્યુનિટી ટ્રાન્સફર થતું હોય છે. આવામાં મોટી સંખ્યામાં લોકો કોરોનાગ્રસ્ત બનતા હોય છે. આંકડા પણ બતાવે છે કે જે રીતે દર્દીઓની સંખ્યા વધી છે, તેમાંથી 50 ટકાથી વધુ કેસ હોટસ્પોટ વિસ્તારોમાંથી છે. જે આ વિસ્તારો માટે ખૂબ જ ભયાનક ગણાવી શકાય એમ છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments