Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત કોરોના રિકવરીમાં રાષ્ટ્રીય સરેરાશથી પાછળ

Webdunia
મંગળવાર, 14 એપ્રિલ 2020 (12:45 IST)
દેશમાં કોરોનાના સતત વધતા જતા કેસ અને હવે ભારત પણ ટેન-થાઉઝન્ડ કલબમાં પ્રવેશી જશે તે નિશ્ચિત બન્યું છે. તેમાં રીકવરીમાં દેશમાં કુલ પોઝીટીવ કેસમાં 11.8%નો દર છે પણ ગુજરાત જે હજુ 500 પ્લસ કેસ ધરાવે છે ત્યાં રીકવરી દર 8.7% નોંધાતા લોકોની રોગપ્રતિકારક શક્તિથી લઈને સારવારની અસરકારકતા અંગે પ્રશ્ન ઉભો થાય છે. ગુજરાતમાં 538 પોઝીટીવ (ગઈકાલના) કેસમાં 47 લોકો રીકવર થયા છે જે 8.7% છે.
જે રાષ્ટ્રીય સરેરાશથી ઘણો નીચો છે. શહેર મુજબ જોઈએ તો અમદાવાદમાં 295 દર્દીઓમાં 11 રીકવર થયા છે જે 3.7% નો દર છે. વડોદરામાં 6.8% ગાંધીનગર, સુરત, રાજકોટમાં અનુક્રમે 46, 21 અને 38% દર્દીઓ રીકવર થયા છે. રાજકોટ જીલ્લાના આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડારીના જરાવ્યા મુજબ રાજકોટમાં એક સિવાયના અન્ય તમામ દર્દીઓ કોઈ ગંભીર મેડીકલ હીસ્ટ્રી ધરાવતા ન હતા એટલે કે તેઓ યુવા, તંદુરસ્ત હતા. ઉપરાંત રાજકોટમાં 100થી વધુ મેડીકલ, પેરામેડીકલ, કર્મચારીઓ રાત-દિવસ એક કરે છે.
એક 75 વર્ષની મહિલા બીપી, ડાયાબીટીસ અને અન્ય વૃદ્ધાવસ્થાના રોગથી પીડાતા હતા છતાં તેઓ રીકવર થયા. દરેક પોઝીટીવ કેસમાં 10.14 દિવસની સારવાર અને સતત બે નેગેટીવ કેસ આવે પછી જ તેને ડીસ્ચાર્જ કરાય છે. ગુજરાતમાં કોરોના સામેના જંગથી જાણીતા ચહેરા બનેલા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે રીકવરી નીચી હોય તેનું એક કારણ ઉંચો મૃત્યુદર છે. દર્દીનું આરોગ્ય અને તેની રોગપ્રતિકારક શક્તિ પણ નોંધાય છે. જો રોગ પ્રતિકારક શક્તિ નબળી હશે તો તેની રીકવરીમાં મુશ્કેલી હશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

વધુ જુઓ..

નવીનતમ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments