rashifal-2026

કોરોના ટેસ્ટિંગ મામલે અમદાવાદ મેડિકલ એસોસિએશને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી

Webdunia
શનિવાર, 18 જુલાઈ 2020 (14:41 IST)
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોન વાયરસના 900થી વધુ કેસ સામે આવી રહ્યાં છે. તો બીજીતરફ કોરોનાના ટેસ્ટિંગને લઈને પણ સવાલ ઉઠી રહ્યાં છે. હવે રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ મામલે અમદાવાદ મેડિકલ એસોસિએશને ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક અરજી કરી છે. રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે ગુજરાતમાં 39 લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ થઈ રહ્યાં છે.

હવે મેડિકલ એસોસિએશને સરકારના આ દાવાને હાઈકોર્ટમાં પડકાર આપ્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિએશને કહ્યું કે, હજુ પણ કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે લોકોએ બીજા જિલ્લામાં જવુ પડે છે. તેમણે રાજ્ય હાઈકોર્ટમાં લેબોરેટરીની માહિતી રજૂ કરે તેવી પણ માગ કરી છે. મેડિકલ એસોસિએશને 39 લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ ન થવાનો દાવો કર્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિએશને કહ્યું કે, કોરોનાના ટેસ્ટ ન થવાથી સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 46 હજારથી વધુ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. તો આ મહામારીને કારણે 2108 લોકોના મૃત્યુ પણ થયા છે. અમદાવાદ મેડિકલે પોતાની અરજીમાં અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં ઓછા ટેસ્ટ થતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - સૂર્ય પર લેકચર

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

આગળનો લેખ
Show comments