Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના વૈક્સીન માટે CoWIN એપ પર કરવુ પડશે રજીસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ પ્રોસેસ

Webdunia
શનિવાર, 2 જાન્યુઆરી 2021 (23:47 IST)
વર્ષ 2021 માં કોરોનાવાયરસથી છુટકારો મેળવવા માટે વૈક્સીનેશન કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે. શનિવારથી ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના રસીની ડ્રાય રન શરૂ થઈ ગઈ છે.
 
ભારતમાં લોકોને ગમે ત્યારે કોરોનાની વેક્સીન (Corona Vaccine) મળે તેવા એંધાણ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Minister) કોરોના વેક્સિન વિતરણ પર ઓબ્ઝર્વેશન, ડેટા અને લોકોને વેક્સિન લગાવવા માટે રજિસ્ટ્રેશન (Registration) કરવા માટે CoWIN નામની એક એપ બનાવી છે. દેશના નાગરિકો જે હેલ્થ વર્કર (Health Workers) નથી તેમને કોવેક્સિન માટે CoWIN એપ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી પડશે. એપ ડાઉનલોડ કર્યાં બાદ રજિસ્ટ્રેશન મોડ્યુલ દ્વારા લોકો કોરોના વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
 
કોવિન એપમાં છે 5 મોડ્યૂલ 
 
CoWIN Appથી વેક્સિનેશન પ્રક્રિયાસ, વહીવટી પ્રક્રિયા, વેક્સિનેશન કર્મીઓ અને તે લોકો માટે એક પ્લેટફોર્મ માફક કામ કરશે જેમને વેક્સિન લગાવવામાં આવવાની છે. કોવિન એપમાં 5 મોડ્યુલ છે. પહેલો વહીવટી મોડ્યૂલ, બીજું રજિસ્ટ્રેશન મોડ્યુલ, ત્રીજું વેક્સિનેશન મોડ્યુલ અને ચોથું લાભાન્વિત સ્વિકૃતિ મોડ્યૂલ અને પાંચમું રિપોર્ટ મોડ્યુલ.
 
3 કરોડ હેલ્થ વર્કર 
સ્વાસ્થ્ય મંત્રીએ હવે માત્ર દેશના ત્રણ કરોડ હેલ્થ વર્કર્સ અને ફ્રંટલાઈન વર્કર્સને ફ્રી વેક્સિન આપવાની વાત કહી છે. તેમણે કહ્યું હતું કે, ફ્રી વેક્સિન માત્ર તે લોકોને જ આપવામાં આવશે જે હેલ્થ વર્કર અને ફ્રંટલાઈન વર્કર છે. એવા લોકોની સંખ્યા લગભગ ત્રણ કરોડ છે. બાકીના લોકોને વેક્સિન કેવી રીતે લાગશે તેના પર જુલાઈ સુધીમાં નિર્ણય થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments