Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ કપૂર-અજમાની પોટલી સૂંધવાથી વધે છે ઓક્સિજનનુ લેવલ ? Video

Webdunia
મંગળવાર, 20 એપ્રિલ 2021 (16:54 IST)
ભારતમાં કોરોના વાયરસની બીમારીનો પ્રકોપ પોતાના ચરમ પર પહોંચી ગયો છે. એક વાર ફરી ગયા વર્ષ જેવી જ પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે પણ આ મહામારીનો ભય અને બીજી  આ પ્રકારની અફવા ફેલાવવામાં ક્યાક ને ક્યાક  સોશિયલ મીડિયાની પણ ભૂમિકા છે. જી હા.. વ્હોટસએપ પર એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમા બતાવ્યુ છે કે કેવી રીતે ઘરેલુ ઉપાયથી ઓક્સીજનનુ લેવલ વધારી શકાય છે



એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કપૂર અને અજમાની પોટલી સૂંઘવાથી ઓક્સીજનનુ સ્તર વધારી શકાય છે.  પરંતુ આ દાવામાં કેટલી સત્યતા છે ? એ પહેલા તમને બતાવી દઈએ કે શુ મેસેજ વાયરલ થઈ રહ્યો છે.  
 
ગુજરાતના સંજીવની હેલ્થકેરના ડો. પ્રયાગરાજ ડાભીના નામથી વાયરલ મેસેજમાં લખવામાં આવ્યુ છે .. "આજે હુ તમારી સાથે શેયર કરવા માંગીશ કે જૈન સમાજના નેતા પ્રમોદભાઈ મલકાન સાથે શુ થયુ હતુ. તેમનો પુત્ર કોરોના પોઝિટીવ હતો. તેનુ ઓક્સીજનનુ લેવલ 80-85 થઈ ગયુ હતુ. ડોક્ટરની સલાહ મુજબ હોસ્પિટલમાં તેને દાખલ કરવો જરૂરી હતો. પણ ઘરેલુ ઉપાયના જાણકાર પ્રમોદભાઈએ કપૂરની એક ક્યુબ અને એક ચમચી અજમાની પોટલી બાંધીને 10થી 12 વાર ઊંડી ઊંડી શ્વાસ લઈને સુંઘવાનુ કહ્યુ. . 
 
દર બે કલાક આ શરૂ કર્યા પછી 24 કલાકની અંદર તેનુ ઓક્સીજન લેવલ 98-99 સુધી જતુ રહ્યુ અને હોસ્પિટલ જવાના ઝંઝટ બચી ગયા. તેમના એક મિત્રને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તેમણે આ પ્રયોગ તેના પર પણ કર્યો. જેનુ સારુ પરિણામ મળ્યુ અને તેને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. આ માહિતી સમાજ માટે બનાવી છે જેથી આ બીજા માટે ઉપયોગી રહે. 
 
શુ છે હકીકત 
 
વેબદુનિયાએ ડૉ. પ્રયાગરાજ ડાબી સાથે સીધી વાતચીત કરી તો  તેમણે જણાવ્યુ કે વાયરલ મેસેજ ખોટો છે. ડો. ડાબીએ કહ્યુ કે તેમનુ નામ ખરાબ કરવા માટે આ મેસેજ કોઈ અન્ય દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. સાથે જ તેમણે એક મેસેજ શેયર કરતા વાયરલ થઈ રહેલ મેસેજ પર સ્પષ્ટીકરણ પણ આપ્યુ છે. 
 
જનહિત માટે ડો. પ્રયાગરાજ ડાબી દ્વારા તેમના નામ અને નંબર સાથે ફરી રહેલ ફેક મેસેજ પર સંદેશ 
 
નમસ્કાર, હુ ડો. પ્રયાગરાજ ડાબી, સંજીવની હેલ્થકેર, ભાવનગર ગુજરાતથી છુ. છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક લોકો જે અમારી અદેખાઈ અને દુશ્મનાવટ રાખનારા અને આયુર્વેદને બદનામ કરવા માટે અને અમને કાયદાકીય રીતે ફસાવવા માટે અમારુ નામ અને નંબર નાખીને કોરોના ઠીક કરનારા અને ઓક્સીજન લેવલ વધારનારા ફેક મેસેજ અમારુ નામથી લખીને ખૂબ વાયરલ કરી રહ્યા છે અને ભોળી પ્રજા આ ષડયંત્રને ન સમજીને બીજાને શેયર કરી રહી છે તો અમારી તમને વિનંતી છે કે આવો મેસેજ અમારા દ્વારા લખાવાયો નથી કે ન તો અમે તેને ફેલાવી રહ્યા છે. જો તમે આ ફોલો કરો છે કે શેયર કરો છો તો તેના જવાબદાર તમે પોતે જ હશો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Atishi Marlena: કોણ છે આતિશી માર્લેના જેમણે અરવિંદ કેજરીવાલ પછી બનાવાયા દિલ્હીના મુખ્યમંત્રી, જાણો બધુ જ

Atishi- આતિશી હશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, કેજરીવાલે નામનો પ્રસ્તાવ મૂક્યો

ફિરોઝાબાદ બ્લાસ્ટમાં 5ના મોત, 11ની હાલત ગંભીર; ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત થયો હતો

રાહતના સમાચાર: પેટ્રોલ 10 રૂપિયા સસ્તું થઈ શકે છે, સરકારે જણાવ્યું કે ઈંધણ ક્યારે મળશે

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ કેમ ઉજવાય છે જાણો ઈતિહાસ અને મહત્વ

આગળનો લેખ
Show comments