Dharma Sangrah

50 પરપ્રાંતિઓને બસમાં ઠસોઠસ ભરીને તંત્રએ જ નિયમો તોડ્યાં

Webdunia
બુધવાર, 6 મે 2020 (13:59 IST)
વડોદરા શહેરમાં એસ.ટી. બસમાં 40થી 50 જેટલા પરપ્રાંતીયોને બેસાડીને રેલવે સ્ટેશન લઇ જવાયા હતા. એક સીટમાં 3 લોકોને બેસડીને વડોદરા જિલ્લા તંત્રએ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવ્યા હતા.  વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસથી પરપ્રાંતીયોને લઇને સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. મંગળવારે મોડી રાત્રે પણ વડોદરા, ડભોઇ અને વાઘોડિયામાં રહેતા 1200 પરપ્રાંતીયોને લઇને વડોદરાથી લખનઉ જવા માટે ટ્રેન રવાના થઇ હતી. જોકે પરપ્રાંતીયોને રેલવે સ્ટેશન બસ લઇ જવાયા ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવ્યા હતા. એસ.ટી, બસમાં 40થી 50 જેટલા લોકોને બેસાડવામાં આવ્યા હતા. એક સીટ પર 3-3 લોકો બેઠા હતા. તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવા છતાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયુ નહોતુ. વડોદરા જિલ્લા તંત્રના અણઘડ આયોજનથી કોરોના વાઈરસ ફેલાવાયો ભય છે. એક તરફ તંત્ર દ્વારા લોકોને સુરક્ષા, તકેદારી અને સુવિધા સાથે એમના વતન રાજ્યમાં મોકલવાની વાતો થાય છે અને બીજી તરફ પરપ્રાંતીયો તેમના વતન મોકલતી વખતે સોશિયલ ડિન્સન્સિંગ ન જાળવીને તંત્ર સુરક્ષા અને તકેદારી બાબતે ગંભીર ન હોવાનું જણાઇ રહ્યું છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

Vansat Panchmi Prasad- વસંત પંચમીના ખાસ પ્રસંગે બનાવો કેસરિયા ભાત

પેશાબમાં ફીણ કેમ આવે છે? શું આ ડાયાબિટીસની નિશાની છે?

Gujarati Recipe - રાઈસ પેપર રોલ્સ

Vasant panchami speech in gujarati- વસંત પંચમી વિશે

વધુ જુઓ..

નવીનતમ

Akshay Kumar Car Accident: અક્ષય કુમારની કાર સાથે અથડાયા પછી રિક્ષામાં જ ફસાય ગયો ચાલક, વિડીયો આવ્યો સામે

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

Armaan Malik hospitalised: આ પ્રખ્યાત ગાયકની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

ગુજરાતી જોક્સ - ગિફ્ટમાં શું જોઈએ

ગુજરાતી જોક્સ - બળદને ગાય

આગળનો લેખ
Show comments