Webdunia - Bharat's app for daily news and videos

Install App

Woman care- જાણો પ્રેગ્નેંસીમાં દાડમ ખાવુ શા માટે ફાયદાકારી

Webdunia
ગુરુવાર, 3 જૂન 2021 (17:43 IST)
ગર્ભાવસ્થામાં મહિલાઓ તેમની ડેલી ડાઈટનો ખાસ કાળજી રાખવાની જરૂર હોય છે. જેથી મા અને ગર્ભમાં પળી રહ્યા બાળકનો સારું વિકાસ થઈ શકે. તેના માટે ડેલી ડાઈટમાં દાડમ શામેલ કરવુ બેસ્ટ ઑપ્શન છે. એક્સપર્ટસના મુજબ આ દરમિયાન દાડમનો સેવન ફાયદાકારી હોય છે. તેમાં વિટામિન એ, સી, કે, ફાઈબર, આયરન, પોટેશિયમ વગેરે તત્વ અને એંટી ઑક્સીડેંટસ ગુણ હોય છે. તેનો સેવન કરવાથી થાક, નબળાઈ દૂર થઈ સારું વિકાસ થવામાં મદદ મળે છે. તો ચાલો જાણીએ અમે તમને પ્રેગ્નેંસીમાં દાડમ ખાવાના ફાયદા જણાવે છે. 
 
લોહી વધારે 
દાડમમાં વિટામિન સી વધારે હોય છે. તેના ખાદ્ય પદાર્થથી આયરન બનાવવામાં મદદ મળે છે. તેની સાથે જ વિટામિન સી આયરનને શરીરને શોષવામાં મદદ કરે છે. શરીરમાં પૂરતો આયરન અને વિટામિન સી થતા પર આયરન ડેફિસિએંસી એનીમિયાનો ખતરો ઓછુ થઈ જાય છે. તેમજ  ગર્ભમાં પળી રહ્યા બાળકના વધુ સારા વિકાસમાં મદદ કરે છે.
 
ઈમ્યુનિટી વધારવામાં ફાયદાકારી 
દાડમ ખાવુ કે તેનો જ્યુસ પીવાથી ઈમ્યુનિટી વધારવામાં મદદ મળે છે. થાક અને નબળાઈ દૂર થઈ દિવસભર શરીર તાજગી ભરેલુ રહે છે. 
 
સારું પાચન તંત્ર 
દાડમમાં ફાઈબર, પોટેશિયમ વધારે હોય છે. તેના સેવન કરવાથી પાચનમાં સુધાર આવે છે. તેથી કબ્જિયાત, અપચ અને પેટ સંબંધી બીજી સમસ્યાઓથી રાહત મળે છે. ખાસ કરીને તેનો જ્યુસ પીવાથી પ્રેગ્નેંસીમાં 
થતી એંઠનથી રાહત મળે છે. 
 
બાળકનો મગજનો વિકાસ 
ગર્ભમાં વિકસિત બાળકનો માનસિક વિકાસ માટે ફોલેટની જરૂર હોય છે. તેથી દરરોજ 1 ગ્લાસ દાડમનો જ્યુસ પીવાથી ફોલેટની જરૂરિયાત 10 ટકા પૂર્ન કરી શકાય છે. ફોલેટ ભૂણના ન્યુરલ ટ્યૂબ અને તંત્રિકા 
તંત્રના વિકાસમાં ફાયદાકારી હોય છે. 
-ગર્ભાવસ્થા દરમિયાન દાડમનો સેવન થોડી સાવધાનીથી કરવુ જોઈએ નહી તો નુકશાન પણ થઈ શકે છે.  
- દાડમનો જ્યુસ કેટલીક દવાઓ પર અસર નાખી શકે છે તેથી કોઈ પણ દવા કે દાડમનો જ્યુસનો સેવન કરતા પહેલા એક વાર ડાક્ટરની સલાહ લેવી. 
- દાડમમાં વધારે માત્રામાં કેલોરી હોય છે. તેથી આ દરમિયાન તેનો વધારે સેવન કરવાથી વજન વધવાની પરેશાની થઈ શકે છે. 
- પ્રેગ્નેંસી દરમિયાન દાડમનો સપ્લીમેંટ કે અર્કન સેવનને લઈને કોઈ શોધ મથી. તેથી તેમો સેવન કરવાથી બચવું%. તેની જગ્યા દાડમનો તાજુ જ્યુસ પીવુ સારું રહેશે. 
- વધારે દાડમનો સેવન કરવાથી દાંતના એનેમલ ખરાબ કરી શકે છે. તેથી ઓછી માત્રામાં લેવી સાથે જ દાડમના સેવન પછી કોગળા કરી લો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments