Festival Posters

ઈમોશનલ બાળકોને તેમનો નિર્ણય જાતે જ લેવા દો......

Webdunia
શુક્રવાર, 23 માર્ચ 2018 (12:51 IST)
આજકાલ કોઈપણ પ્રકારના બાળકોની દેખરેખ કરવી સહેલુ કામ નથી.  ખાસ કરીને ઈમોશનલ બાળકોની દેખરેખ. આવા  બાળકો સાથે તમારે ધૈર્ય રાખીને વાત કરવી પડે છે. કારણ કે આ પ્રકારના બાળકોનો સ્વભાવ ક્યારેક શાંત તો ક્યારેક હિંસક અને પછી ઝગડાલૂ બની જાય છે. તેથી હંમેશા ધ્યાન રાખો કે તમે જ્યારે પણ ઈમોશનલ બાળકો સાથે વાત કરો તો દરેક શબ્દ સમજીને અને માપી તોલીને જ બોલો. આજે અમે તમને કેટલીક એવી વાતો બતાવીશુ જેમા તમે ઈમોશનલ બાળકોની સારી રીતે દેખરેખ કરી શકો છો. 
1. સહનશીલતા - જો તમારા બાળકો ઈમોશનલ છે તો તેમની સાથે ધૈર્ય રાખીને વાત કરવી જોઈએ. આવા બાળકો સાથે વાત કરવા માટે તમારામાં સહનશીલતાનું હોવુ ખૂબ જરૂરી છે. 
 
2. બાળકોની વાત સારી રીતે સાંભળો - તમારે ઈમોશનલ બાળકોની વાતને સારી રીતે સાંભળવી જોઈએ. વાતને સારી રીતે સાંભળીને જ તમે કોઈ પગલું ઉઠાવો. મોટાભાગે એવુ જોવા મળે છે કે તમારુ ધ્યાન તમારી તરફ કરવા માટે બાળકો નખરા પણ કરે છે. છતા પણ તમે તેમની વાત સારી રીતે સાંભળો. 

3. બાળકોની ભાવનાઓને સમજો - જો તમે તમારા બાળકોની ભાવનાઓને સારી રીતે સમજો છો તો તે તમને પોતાના દિલની વાત સારી રીતે કરશે. આવુ કરવાથી તે તમારી સાથે જોડાયેલા અનુભવશે અને ખુદને સુરક્ષિત અનુભવશે. 
 
4. બાળકોને મનની વાત કહેવાની તક આપો - તમારા બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા માટે તેમને મનની વાતો કહેવાની તક આપો. આવુ કરવાથી તેમને તેમની ભાવનાઓ અને વિચાર મુકવામાં મદદ મળે છે. 
 

5. બાળકોના વિચારોને સમજવાની પરખ - હંમેશા જરૂર નથી હોતી કે ઈમોશનલ બાળકોના દરેક વિચાર અને ભાવનાને સાચી સમજવામાં આવે. પણ છતા પણ તમારે બાળકોની ભાવનાઓને અને વિચારોનુ યોગ્ય મૂલ્યાંકન કરવુ જોઈએ. આવામાં તમારા બાળકોને ધૈર્યથી સમજાવવા જોઈએ. 
 
6. તમારી સાથે બાળકો પણ રહેશે ખુશ - જો તમારા બાળકો પોતાની ખુશીથી કામ કરશે અને જો તમે તેના કામથી ખુશ થશો તો તે પણ ખુશ રહેશે. જો તમે નારાજ થશો તો તમારુ બાળક પણ નારાજ જ રહેશે. તેથી આવા બાળકો સાથે પ્રેમથી વાત કરવી જોઈએ. 

7. બાળકોને પોતાનો નિર્ણય લેવા દો - ઈમોશનલ બાળકોને તેમનો નિર્ણય જાતે જ લેવા દો જેથી તેઓ હેલ્ધી રહે. જો તેનો નિર્ણય ખોટો પણ લે છે તો પણ તમે હંમેશા તેમની સાથે રહો. આવુ કરવાથી તેમનો આત્મવિશ્વાસ વધશે અને તેઓ પોતાના સારા-ખરાબ વિશે જાણી શકશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs PAK Live Score: અક્ષર પટેલે પાકિસ્તાનને ચોથી વિકેટ અપાવી, બાબર આઝમ માત્ર 5 રન બનાવીને આઉટ થયો.

જર્મનીમાં ગાર્ડે આઈડી કાર્ડ માંગતાં અસીમ મુનીરને શરમનો સામનો કરવો પડ્યો, વીડિયો વાયરલ

AI Summit 2026:7 રાષ્ટ્રપતિઓ, 9 વડા પ્રધાનો... ટેક વર્લ્ડનું સૌથી મોટું સમિટ આવતીકાલે દિલ્હીમાં શરૂ થશે, જાણો કોણ કોણ હાજરી આપશે?

મહારાષ્ટ્રમાં ATSનું મોટું ઓપરેશન, વહેલી સવારે 21 સ્થળોએ દરોડા

પશ્ચિમ બંગાળના એક સ્ટેશન પર પાર્ક કરેલી ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી, અને ફાયર બ્રિગેડને તેને ઓલવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો.

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

રૂદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રૂદ્રાક્ષ કેટલા પ્રકારનાં હોય છે જાણો 1 થી 21 મુખી રૂદ્રાક્ષનાં લાભ, ઉપયોગ મંત્ર અને તેના દેવતા

આગળનો લેખ
Show comments