rashifal-2026

રેલ્વે બજેટમાં પ્રભુની કૃપા...રેલ ભાડુ નહી વધારે

Webdunia
સોમવાર, 15 ફેબ્રુઆરી 2016 (11:01 IST)
રેલવે  મંત્રી સુરેશ પ્રભુ સતત બીજા વર્ષે રેલ્‍વે પેસેંજર્સ પર કૃપા કરશે એવી શકયતા છે. 25 ફેબ્રુઆરીએ જાહેર થનારા રેલ્વે બજેટમાં ભાડા વધવાની શકયતા નથી. ઉપરાંત, નવી સેમી હાઈસ્‍પીડ ટ્રેન ‘ગતિમાન', વિવિધ કન્‍સેશનમાં ઘટાડો અને રેલ્વે પ્રોપર્ટીનું મોનેટાઈઝેશન રેલવે  બજેટની અન્‍ય હાઈલાઈટસ રહેશે. પ્રભુએ રોકડની ખેંચ અનુભવી રહેલી રેલ્‍વે માટે આવક એકત્ર કરવા ઈનોવેટિવ વિકલ્‍પ પર ધ્‍યાન કેન્દ્રીત કર્યુ હોવાથી તે ભાડા યથાવત રાખે તેવી શકયતા છે. ગયા બજેટમાં નૂરદરમાં વધારો કરાયો હતો, પરંતુ આ વખતે ડીઝલના ભાવમાં ઘટાડાને કારણે નૂરના દરમાં પણ વધારો નહીં થાય. આગામી બજેટમાં સરકાર નવા પ્રોજેકટસ શરૂ કરવાને બદલે રેલ્‍વે નેટવર્કને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રીત  કરશે.
 
   મંત્રાલયના મંતવ્‍ય પ્રમાણે રેલ્‍વે ભાડામાં 10 ટકા વૃદ્ધિથી માત્ર રૂ. 4,500 કરોડની વધારાની આવક થશે, જે પુરતી નથી. સૂત્રોએ જણાવ્‍યું હતુ કે, ‘વડાપ્રધાન કાર્યાલય પણ ભાડા વધારવાની તરફેણમાં નથી. રેલ્‍વેએ થોડા સમય પહેલા જ કેટલીક રાહતમાં ફેરફાર કર્યો છે તેમજ બજેટની બહાર રિફંડ અને તત્‍કાલ સેવાના નિયમ ચાર્જિસમાં બમણો વધારો કરવામાં આવ્‍યો છે. ઉપરાંત, રેલ્‍વે દ્વારા તમામ ટ્રેનમાં તત્‍કાલ હેઠળની બેઠકની સંખ્‍યા 10 ટકાથી વધારી 30 ટકા કરવામાં આવી છે. રેલ્‍વે બોર્ડના એક અધિકારીએ જણાવ્‍યુ હતુ કે, ‘તત્‍કાલના નિયમમાં ફેરફાર તમામ ટ્રેનનાં ભાડામાં 5 ટકા વૃદ્ધિ સૂચવે છે
વધુ જુઓ..

જરૂર વાંચો

Baby Names in Sanskrit- છોકરીઓ માટે શાહી સંસ્કૃત નામો

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

સોનેરી ખિસકોલી

ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ દાળ છે લાભકારી ? જાણો શું કહે છે એક્સપર્ટ

જો તમે સરસવનું તેલ અને મેથીનું દાણું એકસાથે ભેળવીને વાળમાં લગાવો તો શું થશે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં કર્યા દાખલ

રાજપાલ યાદવ પછી અમીષા પટેલ જશે જેલ ? જમાનતી વોરંટ પર અભિનેત્રી બોલી - સેટલમેંટ થઈ ગયુ

ગુજરાતી જોક્સ - વાત કરી રહ્યા

Show comments