Publish Date: Tue, 06 Jul 2021 (13:50 IST)
Updated Date: Tue, 06 Jul 2021 (14:28 IST)
ટીવી અને બૉલીવુડ ઈંડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જે તેમના એગ્સ ફ્રીજ કરવાની વાત કહી છે. એકતા કપૂરથી લઈને મોના સિંહ અને રાખી સાવંત સાથે ઘણા સ્ટાર્સ છે જેણે તેમના જીવનમાં આ મોટુ પગલા લેવાની વાત કહી. એગ્સ ફ્રીજ કરાવતા કેટલાક સ્ટાર્સ સરોગેસીથી બાળકોના પરેંટસ બની ગયા છે. તેમજ અત્યારે સુધી આ લિસ્ટમાં મહાન એક્ટ્રેસ તનુજાની દીકરી અને એક્ટ્રેસ તનીષા મુખર્જીનો નામ શામેલ થઈ ગયું છે. તનીષાએ તાજેતરમાં ખુલાસો કર્યુ કે તે 39 વર્ષની ઉમ્રમાં તેમના એગ્સ ફ્રીજ કરાવ્યા છે. તેની સાથે જ તેણે જણાવ્યુ કે તેણે નથી લાગતુ કે મહિલાના જીવનમાં લગ્ન કરવા અને બાળક પેદા કરવા જ જરૂરી છે.
એક વેબસાઈટમાં આપેલ ઈંટરવ્યોહમાં તનીષાએ કહ્યુ કે હું 33 વર્ષની ઉમ્રમાં મરા એગ્સ ફ્રીજ કરાવવા ઈચ્છતી હતી. તે સમયે હુ મારી ડાક્ટરની પાસે ગઈ. આ ફની છે પણ તેણે તે સમયે મને આવુ કરવાની ના પાડી દીધી. તેણે જણાવ્યુ કે તેનાથી મારા શરીર પર અસર પડે છે. તેણે સલાહ આપી કે મને આવુ ત્યારે કરવો જોઈએ જ્યારે બેબી કંસીવ કરવાની કોઈ હોપ ન હોય. આ પર્સનલ ચાઈસ છે અને આજના સમયમાં બાળક ન થવાની મુશ્કેલી નથી.
તનીષા લગ્ન કરવુ પણ જરૂરી નથી માનતી. તેણે આ પણ કહ્યુ કે જરૂરી નથી કે કોઈ રિલેશનશિપમાં હોય અને તમને ડિફાઈન કરવા માટે જીવનમાં એક પુરૂષ જ હોય. આ દરમિયાન તેણે જણાવ્યુ કે તેના આ નિર્ણય પર માતા તનુજાનો શું રિએક્શન હતો. તેણે કીધુ-મા એ હમેશા આ નિર્ણયનો સપોર્ટ કર્યું.
કરિયરની વાત કરીએ તો તનીષાએ ફિલ્મ SSSShhh..... થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતું ત્યારબાદ પૉપકૉન, ખાઓ મસ્ત હો જાઓ, નીલ એંડ નિક્કી, સરકાર, "ટેંગો ચાર્લી, વન ટૂ થ્રી જેવી ફિલ્મોમાં નજર આવી. પણ આ ફિલ્મો નથી ચાલી. તનીષાની બેન કાજોલ અને મા તનુજાની રીતે કરિયર ટૉપ પર નથી રહ્યુ.