Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shahrukh Khan ને ૨૭મીએ વડોદરા કોર્ટમાં હાજર રહેવા સમન્સ

Webdunia
ગુરુવાર, 13 જુલાઈ 2017 (17:56 IST)
રઈશ ફિલ્મના પ્રમોશન વખતે વડોદરા રેલવે સ્ટેશન પર સર્જાયેલી દુર્ઘટનાની તપાસ કરવા સામાજિક કાર્યકરે કરેલી અરજીના પગલે કોર્ટે શાહરુખ ખાનને તા. ૨૭મી અદાલતમાં હાજર રહેવા સમન્સ કાઢ્યું છે. શાહરુખ જવાબદાર હોવાના પૂરતા પુરાવા હોવાનું તપાસ અધિકારીએ કોર્ટમાં જણાવ્યું હતું. રઈશ ફિલ્મના પ્રમોશન માટે અભિનેતા શાહરુખ ખાન તેની ટીમ સાથે અગસ્તક્રાંતિ-રાજધાની એક્સપ્રેસ મારફતે તા. ૨૩મી જાન્યુઆરીએ મુંબઈથી દિલ્હી જવા નીકળ્યા હતા. વડોદરા રેલવે સ્ટેશન પર રાતે ૧૦.૩૯ મિનિટે ટ્રેન આવી હતી. શાહરુખને જોવા માટે લોકોની ભારે ભીડ પ્લેટફોમ નં. ૬ પર થઈ હતી. ટ્રેન ઉપડવાની તૈયારી થતાં લોકોએ શાહરુખને જોવા માટે દોડધામ કરી મૂકી હતી. દરમિયાન ધક્કામુક્કીમાં દબાઈ જતાં વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રહેતા ફરીદખાન હબીબખાન પઠાણનું મોત નીપજ્યું હતું, જ્યારે બે પોલીસ કર્મચારીઓને ઇજા થઈ હતી. આ બનાવની રેલવે પોલીસ અધિક્ષકે ડીવાયએસપીને તપાસ સોંપી હતી. બીજી તરફ ઘટનાને લઈ એક સામાજિક કાર્યકરે કોર્ટમાં અરજી કરી હતી, જેમાં ડીવાયએસપીએ રેલવેના નિયમોનો શાહરુખે ભંગ કર્યો હોવાથી તેની સામે ગુનો દાખલ કરવાના પુરાવા છે તેવું જણાવ્યું હતું. જેને અદાલતે ગંભીરતાથી લઈ કોર્ટે તા. ૨૭મી જુલાઈએ શાહરુખ ખાનને અદાલતમાં હાજર રહેવા સમન્સ કાઢ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મલાઈકા શેરાવત વિરુદ્ધ પણ અત્રેની કોર્ટમાં ફરિયાદ દાખલ થતાં તેની વિરુદ્ધ પણ સમન્ય કાઢવામાં આવ્યું હતું.
 

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શું તમે દહીં કબાબ ટ્રાય કર્યા છે? આ રીતે બનાવશો તો વારંવાર ખાવાનું મન કરશે!

જરૂરી સમાચાર - મિલાવટી હળદરથી થયુ નવવધુનુ મોત, હળદર ખરીદતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન

6 મહિના પછી બાળકને શું ખવડાવવું જોઈએ? સ્તનપાન કરાવતી માતાઓએ આ બાબતો જાણવી જોઈએ.

બાબાનો ગુસ્સો... અને નીળી ડાયરીનું રહસ્ય!

રાણી લક્ષ્મીબાઈની વીરતા - "હું મારી ઝાંસી નહીં છોડું!": માત્ર 29 વર્ષની ઉંમરે અંગ્રેજોને ધ્રુજાવનાર વીરાંગનાની શૌર્યગાથા

આગળનો લેખ
Show comments