Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mithun Chakraborty Hospitalized: મિથુન ચક્રવર્તીની તબિયત બગડી, છાતીમાં તેજ દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં દાખલ

Webdunia
શનિવાર, 10 ફેબ્રુઆરી 2024 (12:24 IST)
બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિગ્ગજ અભિનેતાએ શનિવારે 10 ફેબ્રુઆરીના રોજ કલકત્તાના પ્રાઈવેટ હોસ્પિટલની તાત્કાલિક યૂનિટમાં લાવવામાં આવ્યા. કથિત રૂપે અભિનેતાની તબીયત ઠીક નહોતી. તેમને છાતીમાં તેજ દુખાવો અને બેચેનીની ફરિયાદ થઈ. જ્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તેમના સ્વાસ્થ્ય સંબંધી હજુ વધુ માહિતીની રાહ જોવાય રહી છે. અભિનેતા હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર પછી ફેંસ તેમના આરોગ્ય ઠીક થવાની પ્રાર્થના કરી રહ્યા છે.  હાલ મિથુન ચક્રવર્તીના પરિવાર તરફથી તેમના સ્વાસ્થ્ય પર કોઈ અપડેટ જાહેર થયુ નથી. 
 
મિથુન ચક્રવર્તી 73 વર્ષના છે. શનિવારે સવારે એટલે કે આજે લગભગ 10 વાગ્યાની આસપાસ, અભિનેતાને છાતીમાં સખત દુખાવો થયો અને અસ્વસ્થતા પણ અનુભવવા લાગી. જ્યારે તેની તબિયત બગડતી હતી, ત્યારે અભિનેતાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલમાં, દિગ્ગજ અભિનેતાના સ્વાસ્થ્યને લઈને કોઈ માહિતી આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ મિથુન ચક્રવર્તીને સિનેમા ઉદ્યોગમાં તેમના યોગદાન માટે દેશના પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
 
અભિનેતાએ પણ તેના પુત્ર નમાશીના સોશિયલ મીડિયા દ્વારા તેની જીત પર પ્રતિક્રિયા આપી હતી. સન્માનના જવાબમાં મિથુને કહ્યું- 'ખૂબ ખુશ, ખૂબ જ ખુશ, બધું મળીને એક એવી લાગણી છે જેનું હું વર્ણન કરી શકતો નથી. ઘણી તકલીફો પછી જ્યારે કોઈને આટલું મોટું સન્માન મળે છે ત્યારે લાગણી કંઈક અલગ જ હોય ​​છે.
 
મિથુન ચક્રવર્તીએ 1976 થી ઈન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી પોતાના શાનદાર કરિયરના કારણે તેમને નેશનલ એવોર્ડ સહિત અનેક સન્માનો મળ્યા છે. હિન્દી સિનેમામાં, મિથુન ચક્રવર્તી ડિસ્કો ડાન્સર, જંગ, પ્રેમ પ્રતિજ્ઞા, પ્યાર છૂટા નહીં અને મર્દ જેવી ફિલ્મો માટે જાણીતા છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

સવારે ખાલી પેટ જીરૂ અને અજમાનું પાણી પીવાથી શું થાય છે ? અહી જાણી લો તેના હેલ્થ બેનિફિટસ

શાહી ગુલાબ પિસ્તા બરફી

કાઠિયાવાડી ખાટા મગની રેસીપી

શું ઈંડાનો પીળો ભાગ ખાવાથી સાચે જ વજન વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ ?

ઓવરથિકિંગ અને માનસિક તનાવથી તમારુ મગજ થાકી ગયુ છે ? તો અજમાવો ભગવદ્દ ગીતાના આ 3 લાઈફ હેક્સ

આગળનો લેખ
Show comments