Webdunia - Bharat's app for daily news and videos

Install App

Aryan Khan Bail Plea Hearing: આજની રાત પણ આર્યનને જેલમાં વીતાવવી પડશે, જામીન પર સુનાવની આવતીકાલે

Webdunia
બુધવાર, 27 ઑક્ટોબર 2021 (18:00 IST)
મુંબઈ ક્રૂઝ ડ્રગ પાર્ટી કેસમાં આર્યન ખાનની જામીન અરજી (Aryan Khan Bail Plea) પર મુંબઈ હાઈકોર્ટ (Bombay High Court)માં હવે આવતીકાલે સુનાવણી થશે. આવતીકાલે બપોરે 2.30 વાગ્યા પછી સુનાવણી હાથ ધરાશે. એટલે કે આર્યન ખાનને  આજની રાત (27 ઓક્ટોબર, બુધવાર) પણ આર્થર રોડ જેલમાં વીતાવવી પડશે . આજે સુનાવણીનો બીજો દિવસ હતો. ગઈકાલે મુકુલ રોહતગીએ આર્યન ખાનનો પક્ષ રજૂ કર્યા બાદ આજે અમિત દેસાઈએ (Amit Desai) આ મામલે દલીલો રજૂ કરી હતી. તેમના બાદ મુનમુન ધમીચાના વકીલે પણ પોતાની દલીલો રજૂ કરી હતી, આમ આજે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમીચા એટલે કે આરોપી નંબર એક, બે અને ત્રણ વિશેની દલીલો પૂરી થઈ ગઈ છે. હવે આવતીકાલે NCB પોતાનો પક્ષ રજૂ કરશે. ASG અનિલ સિંહ એનસીબીનો પક્ષ મુકશે. કોર્ટમાં તેમણે કહ્યુ કે તેઓ કોશિશ કરશે એક કલાકમાં પોતાની વાત પૂરી કરી લે.

કોર્ટમાં આર્યનના વકીલ તથા પૂર્વ ઍટર્ની જનરલ મુકુલ રોહતગીએ અરેસ્ટ મેમો બીજીવાર બતાવવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે આર્યનની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ જામીન મળ્યા બાદ પણ થઈ શકે છે. સુનાવણીની શરૂઆતમાં અરબાઝ મર્ચન્ટના વકીલ અમિત દેસાઈએ દલીલો રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે નોટિસ આપ્યા વગર આરોપીની ધરપકડ કરવી ખોટું છે. પંચનામા પર પણ વકીલ અમિત દેસાઈએ સવાલ કર્યા હતા. અરબાઝના વકીલની દલીલો પૂરી થયા બાદ મુનમુન ધામેચાના વકીલ અલી કાશિફ ખાન દેશમુખે કોર્ટમાં દલીલો કરી હતી. આ ત્રણેયની દલીલો પૂરી થયા બાદ NCBના સોલિસિટર જનરલ અનિલ સિંહ જામીનનો વિરોધ કરતી દલીલો રજૂ કરવાની હતી. કોર્ટમાં અનિલ સિંહે કહ્યું હતું કે તેમને દલીલો કરવા માટે એક કલાક જેટલો સમય જોઈશે. આ સાંભળીને કોર્ટે આવતીકાલે એટલે કે 28 ઓક્ટોબરના રોજ સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.
 
સ્પેશિયલ કોર્ટમાં જામીન અરજી ફગાવી દેવાયા બાદ આર્યન ખાને હાઈકોર્ટમાં જામીન માટે અપીલ કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી આર્યન ખાનનું પ્રતિનિધિત્વ કરવા હાજર થયા હતા. તેણે ગઈકાલે હાઈકોર્ટમાં આર્યનનો પક્ષ રજૂ કર્યો હતો. તેણે આર્યન ખાનની ધરપકડને ગેરકાનૂની ગણાવી અને આ કાર્યવાહી પર NCBને ભીંસમાં મૂક્યું.
 
માનહાનિનો કેસ દાખલ કરવો પડશે
 
NCB ઓફિસર સમીર વાનખેડેના પિતાએ કહ્યું કે હું દલિત છું, મારા દાદા, પરદાદા બધા હિન્દુ છે, તો દીકરો ક્યાંથી મુસ્લિમ બન્યો? તેમણે (નવાબ મલિક) આ સમજવું જોઈએ. જો નવાબ મલિક આવું અનુસરશે તો અમારે તેમની સામે માનહાનિનો કેસ કરવો પડશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે આ કાળું ફળ, બીજથી લઈને પાંદડા પણ છે ઉપયોગી

વેજ પુલાવ રેસીપી

મેષ રાશિ છોકરી નામ/ અ લ ઈ પરથી નામ girl

Mother’s Day 2025: તમારી માતાને ખુશ કરવા માટે આ ભેટો આપો, તેમનો દિવસ ખાસ બનશે

લોભના ફળ

આગળનો લેખ
Show comments