Webdunia - Bharat's app for daily news and videos

Install App

Prithviraj Postponed: 'પૃથ્વીરાજની રિલીઝ ડેટ ટળી, અક્ષય કુમારની ફિલ્મ 21 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી

Webdunia
મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (22:54 IST)
કોરોનાના ત્રીજા લહેરની સૌથી વધુ અસર બોલિવૂડ પર જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં 20 થી વધુ સ્ટાર્સ કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે જર્સી અને RRR જેવી મોટા બજેટની ફિલ્મોની રિલીઝ પણ અનિશ્ચિત સમય માટે મોકૂફ રાખવામાં આવી છે. હવે જાણવા મળ્યુ  છે કે અક્ષય કુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ'ની રિલીઝ પણ મોકૂફ રાખવામાં આવી છે. 'પૃથ્વીરાજ' અગાઉ 21 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી.
 
ફેન્સ લાંબા સમયથી અક્ષય કુમારની 'પૃથ્વીરાજ'ની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ દેશમાં ઘણી જગ્યાએ થિયેટર 50% ઓક્યુપન્સી સાથે ચાલી રહ્યા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 8 વાગ્યા પછી થિયેટરોમાં શો ન ચલાવવાના આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હીમાં સિનેમાઘરો સંપૂર્ણપણે બંધ છે. કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, આવી સ્થિતિમાં પહેલાથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે 'પૃથ્વીરાજ'ની રિલીઝ મોકૂફ થઈ શકે છે.
 
પૃથ્વીરાજના નિર્માતાઓનું કહેવું છે કે આ એક મોટી ફિલ્મ છે, તેથી કોરોના પ્રભાવિત સમયમાં તેને રિલીઝ કરવાનો કોઈ અર્થ નથી. થોડા દિવસ પહેલા જ આ ફિલ્મને લઈને વિવાદ થયો હતો. ફિલ્મને લઈને વિવાદ થયો હતો કારણ કે રાજપૂત શબ્દ પૃથ્વીરાજ ચૌહાણના શાસન દરમિયાન નહીં પરંતુ ચદબરદાઈના સમયે વપરાયો હતો. રિપોર્ટ અનુસાર હિમ્મત સિંહે કહ્યું કે પૃથ્વીરાજ ચૌહાણના પિતા સોમેશ્વર ગુર્જર જાતિ સાથે જોડાયેલા છે અને તેથી પુત્ર પોતે ગુર્જર હોવો જોઈએ.
 
પૃથ્વીરાજ ફિલ્મથી વર્ષ 2017માં મિસ વર્લ્ડ બનેલી માનુષી છિલ્લર બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે માનુષી લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં સોનુ સૂદ અને સંજય દત્ત પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Uric Acid Diet: યૂરિક એસિડ વધતા આ વસ્તુઓને તમારા ડાયેટમાંથી કરો આઉટ, જાણો શુ ખાવાથી થશે કંટ્રોલ

પનીર ચીઝ બોલ્સ

થાઈરોઈડ અને જાડાપણાનો કાળ છે આ ૩ પ્રકારનાં જ્યુસ, વધતા વજન પર લગાવશે બ્રેક, Thyroid થશે કંટ્રોલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

આગળનો લેખ
Show comments