Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદભાઈનાં પત્નીનું નિધન

Webdunia
બુધવાર, 1 મે 2019 (18:30 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને ગુજરાત રાજ્ય ફૅર પ્રાઇઝ શૉપ્સ ઍન્ડ કેરોસીન ઍસોસિએશનના પ્રમુખ પ્રહ્લાદભાઈ મોદીનાં પત્ની ભગવતીબહેન મોદીનું 55 વર્ષની વયે નિધન થયું છે.
નાદુરસ્ત તબિયતને પગલે ભગવતીબહેનને બુધવારે સવારે હૉસ્પિટલ લઈ જવાઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને હૃદયનો હુમલો આવ્યો હતો.
અસરવાની સિવિલ હૉસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હોવાનું ઍસોસિએશનના હોદ્દેદાર હર્ષદભાઈ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું.
વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ સાથે પ્રહ્લાદભાઈ મોદીએ આ વાતની પુષ્ટિ કરી હતી.
પ્રહ્લાદભાઈના જણાવ્યા અનુસાર ભગવતીબહેન ભારે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરથી પીડાતાં હતાં.
ભગવતીબહેન પરિવાર સાથે અમદાવાદના સેટેલાઇટમાં આવેલા દેવપ્રિયા બંગલોઝમાં રહેતાં હતાં.
 
બુધવારે અંતિમ સંસ્કાર

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રબારી કૉલોની ખાતે પરિવારનો મોદી શોરૂમ આવેલો છે.

ગુજરાત રાજ્ય ફૅર પ્રાઇઝ શૉપ્સ ઍન્ડ કેરોસીન ઍસોસિએશનના હોદ્દેદાર હર્ષદ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું,

"સંગઠનના કામના કારણે પ્રહ્લાદભાઈને ઘર બહાર રહેવું પડતું હતું, ત્યારે ભગવતીબહેન જ પરિવારની જવાબદારી સંભાળતા હતા."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments