Publish Date: Sat, 09 Nov 2019 (15:34 IST)
Updated Date: Sat, 09 Nov 2019 (15:36 IST)
ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલા ડેરા બાબા નાનક ગામમાં જાણે બધા જ હરકતમાં આવી ગયા છે.
શનિવારે કરતારપુર કૉરિડોર મારફતે કરતાર પુર સાહિબ ગુરુદ્વારા દર્શન માટે ખુલ્લું મુકાશે.
જેના માટે પંજાબના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પુરુષો, મહિલાઓ અને બાળકો એકઠા થયાં હતાં.
આજે નરેન્દ્ર મોદી પંજાબના સુલતાનપુર લોધી ગયા હતા અને અહીં તેમણે ગુરુદ્વારામાં દર્શન કરી લોકોને સંબોધ્યા હતા.
શનિવારે જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન બંને દેશોનાં પ્રવેશદ્વારા ખુલ્લા મૂકશે ત્યારે લાખો શીખોના વર્ષોનાં સપનાં સાકાર થશે.