Webdunia - Bharat's app for daily news and videos

Install App

માલામાલ થવા માંગો છો તો અક્ષય તૃતીયા પર કરો આ ઉપાય

Webdunia
મંગળવાર, 17 એપ્રિલ 2018 (15:32 IST)
એકાક્ષી નારિયળનુ તંત્ર શાસ્ત્રમાં ખૂબ મહત્વ છે. તેને સાક્ષાત લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે જો તેને વિધિ વિધાન પૂર્વક ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો  એ વ્યક્તિના ઘરમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી અને તેની દરેક મનોકામના પૂરી થાય છે. તેની વિધિ આ પ્રકારની છે.. 
 
સૌ પહેલા સાધક સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી પોતાની સામે થાળીમાં કંકુથી અષ્ટ દળ બનાવીને તેના પર નારિયાળ મુકી દે અને અગરબત્તી તેમજ દિવો પ્રગટાવે.  શુદ્ધ જળથી સ્નાન કરાવીને આ નારિયળ પર પુષ્પ, ચોખા, ફળ, પ્રસાદ વગેરે મુકે અને લાલ રેશમી વસ્ત્ર ઓઢાવે.  ત્યારબાદ એ રેશમી વસ્ત્ર જે અડધો મીટર લાંબુ હોય તેને પાથરીને તેના પર કેસરથી આ મંત્ર લખે. 
 
ૐ શ્રીં હ્વીં ક્લીં એં મહાલક્ષ્મી સ્વરૂપાય એકાક્ષિનાલિકેરાય નમ: સર્વદિદ્વિ કુરુ કુરુ સ્વાહા.. 
 
પછી આ રેશમી વસ્ત્ર પર નારિયળને મુકી દો અને આ મંત્ર વાંચતા તેના પર 108 ગુલાબની પાંખડીઓ ચઢાવો અર્થાત દરેક પાંખડી ચઢાવતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરતા રહો.. 
 
મંત્ર - ૐ એં હ્વી શ્રીં એકાક્ષિનાલિકેરાય નમ: 
 
ત્યારબાદ ગુલાબની પાંખડીઓને હટાવીને એ રેશમી વસ્ત્રમાં નારિયળને લપેટીને થાળીમાં ચોખાના ઢગલા પર મુકી દો અને આ મંત્રની 3 માળા જપો. 
 
મંત્ર ઓઁ હ્રીં શ્રીં ક્લીં એં એકાક્ષાય શ્રીફલાય ભગવતે વિશ્વરૂપાય સર્વયોગેશ્વરાય ત્રૈલોક્યનાથાય સર્વકાર્ય પ્રદાય નમ: 
 
સવારે ઉઠીને ફરી 21 ગુલાબથી પૂજા કરો અને એ રેશમી વસ્ત્રમાં લપેટાયેલ નારિયળને પૂજા સ્થાન પર મુકી દો.  આ રીતે એકાક્ષી નારિયળને ઘરમાં સ્થાપિત કરવાથી ધન લાભ થાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments