Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના: જવેલર્સોને ત્યાં આવક વેરા વિભાગના દરોડા, બિનહિસાબી સોનુ-નાણા મળી આવ્યા

Webdunia
સોમવાર, 10 ફેબ્રુઆરી 2020 (11:37 IST)
આવકવેરા ખાતા દ્વારા અમદાવાદના સીજી રોડ, માણેકચોક અને શિવરંજની વિસ્તારમાં આવેલા વિવિધ જ્વેલર્સના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છેહતી. જેમાં આવકવેરા વિભાગને મોટી સફળતા હાથ લાગી છે. આ દરોડામાં જ્વેલર્સ પાસેથી બિનહિસાબી સોનાનો મોટો જથ્થો મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્વેલર્સ પાસેથી બિલ વિના કરવામાં આવેલા વેચાણના વધારાના નાણાં પણ મળી આવ્યા છે.
 
આ પાંચ ગ્રુપના સોનીઓ એન્ટ્રી પ્રોવાઈડર્સ તરીકે પણ સક્રિય હોવાનું આવકવેરા ખાતાની તપાસમાં બહાર આવ્યું છે. આવકવેરાના તપાસ કરતાં અધિકારીઓ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે આ સોનીઓ પાસે ચોપડે દર્શાવેલા સોનાના સ્ટોક કરતાં ઘણો વધારે સોનાનો જથ્થો મળી આવ્યો છે. આ તમામ જથ્થાનો તેમની પાસે હિસાબ માગવામાં આવ્યો છે. તેમની પાસેથી હિસાબ ન મળતાં આ જથ્થો અલગ તારવીને તેના મૂલ્યાંકનની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. તેમની પાસેથી મોટી સંખ્યામાં બિનહિસાબી સોનાના વેચાણ થકી થયેલી રોકડની જંગી આવક પણ પકડાઈ છે
 
સી.જી. રોડ પર આવેલ અષ્ટમંગલ ચેઈન્સ પ્રાઈવેટ લિમિટેડ, (માણેકચોક અને સી.જી. રોડ), નેશનલ પ્લાઝામાં આવેલી શ્યામ બુલિયન, શિવરંજની ખાતે આવેલા આર.એચ.ઝવેરીના શા રૂમ તથા રતનપોળમાં આવેલા એકમનો સમાવેશ થાય છે.
 
આ જ રીતે સી.જી. રોડ પર આવેલા સુવર્ણસંસ્કૃતિ જ્વેલર્સ પ્રાઈવેટ લિમિટેડને પણ આવરી લેવામાં આવી છે. અમદાવાદના માણેકચોકમાં આવેલા ઓમ ચેઈનના શા રૂમ ઓમ ચેઈનમાંની ઓફિસોમાંથી બિનહિસાબી વેચાણના દસ્તાવેજો મોટી સંખ્યામાં મળી આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments