Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ એરપોર્ટ પરથી એક વર્ષમાં 23 કરોડનું 64 કિલોગ્રામ સોનું જપ્ત કરાયું

Webdunia
મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (14:19 IST)
અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમના અધિકારીઓએ એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં રૂ. 23 કરોડની કિંમતનું 64 કિલોગ્રામ દાણચોરીનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે.  ઇન્ટરનેશનલ કસ્ટમ ડેના દિવસે સોમવારે અમદાવાદ કસ્ટમ કમિશનર કુમાર સંતોષે જણાવ્યું કે, કસ્ટમ ડિપાર્ટમેન્ટની વર્ષ 2017-18માં રૂ. 15 હજાર કરોડ, 2018-19માં 19 હજાર કરોડ, અને 2019-20માં 16,500 કરોડની આવક થઈ છે. ગત વર્ષની સરખામણીએ ડિસેમ્બર 2019 સુધીમાં 14 ટકાની વૃદ્ધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2017-18માં 10.95 લાખ, 2018-19માં 13.14 લાખ અને તા. 25 જાન્યુઆરી સુધીમાં 12.10 લાખ પેસેન્જરોની અવર જવર અમદાવાદ એરપોર્ટ પર રહી હતી. એરલાઇન્સની સંખ્યા વધવાથી પેસેન્જરોની સંખ્યામાં પણ વધારો થયો છે. એરપોર્ટ કસ્ટમની કુલ ડ્યુટી 2017-18માં રૂ.1005.65 (લાખ), 2018-19માં રૂ.827.96 લાખ અને જાન્યુઆરી સુધીમાં રૂ.585 લાખ થઇ છે. દાણચોરીનું સોનું પેસેન્જરને પરત આપવામાં આવતું નથી જે કેન્દ્ર સરકાર હસ્તક જમા કરી લેવામાં આવે છે. ઇન્ટરનેશનલ કસ્મટ ડેન ઉજવણીના દિવસે પ્રિન્સીપલ ચીફ કમિશનર સીજીએસટીના અજય જૈને જણાવ્યું હતું કે, કસ્ટમની કામગીરીથી દેશની આવકને નુકશાન પહોંચતું નથી. આઇઆઇએમના ડાયરેકટર ડો. એરોલ ડિસૂજાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વિદેશ વેપારની સંખ્યામાં વધારો થયો છે અને તેના કારણે વેપારીઓને મોટો ફાયદો થઇ રહ્યો છે. દેશની આવકમાં પણ વધારો થાય છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં હિંસા બાદ ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ હાઈ એલર્ટ પર, મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પ્રથમ 'વંદે મેટ્રો' ટ્રેનની સાથે અન્ય ઘણી વંદે ભારત ટ્રેનોને સોમવારે એટલે કે આજે લીલી ઝંડી બતાવશે.

ડોનાલ્ડ ટ્રમ્પને કોણ મારવા માંગે છે? આ વખતે ફ્લોરિડામાં ગોળીઓ ચલાવવામાં આવી

World Ozone day 2024: વર્લ્ડ ઓજોન ડે આજે, જાણો શુ છે આ વર્ષની થીમ, જાણો ઈતિહાસ અને મહત્વ

જો તમને જેલમાં નાખવામાં આવે તો રાજીનામું ના આપો, સરકાર ચલાવો, CM અરવિંદ કેજરીવાલે આવું કેમ કહ્યું?

આગળનો લેખ
Show comments