Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં ભગવાન જગદીશના મામેરાનો લહાવો મોસાળિયાને ૧૪૦ વર્ષે મળ્યો

Webdunia
બુધવાર, 21 જૂન 2017 (16:21 IST)
અમદાવાદમાં ભગવાન જગદીશની રથયાત્રા નજીક આવી રહી છે. હાલમાં ભગવાન, ભ્રાતા અને બહેન મોસાળમાં છે ત્યારે ભગવાનનું મોસાળ ગણાતા સરસપુરના રહીશને જ ૧૪૦ વર્ષે પ્રથમવાર મામેરુ કરવાનું નસીબ થયું છે. મામેરામાં ભગવાનના વાઘા-રત્નજડિત મુગટ સહિત સુભદ્રાજીના તમામ શણગાર ભેટસોગાદરૂપે ભગવાનને અર્પણ કરવામાં આવે છે. સરસપુરના બાબુભાઈ માવાવાળાને લહાવો મળતાં સમગ્ર સરસપુરમાં ઉજવણીનો માહોલ છે. મંગળવારે જે મામેરું થયું તે અંદાજે ૨૦થી ૨૫ લાખનું છે. ૨૦૧૫માં એક ભક્તે ૫૧ લાખનું મામેરું કર્યું હતું. ઉલ્લેખનીય છે, ભાણેજોના મામેરા માટે ૨૦ વર્ષ સુધી વેઇટિંગ  લીસ્ટ છે. એટલે કે 20 વર્ષ સુધી મામેરાનું બુકિંગ થઇ ગયું છે.

બાબુભાઈએ જણાવ્યું હતું કે અમે એક વર્ષથી આ પ્રસંગ માટે તૈયારી કરી રહ્યા હતા. ભગવાન જગદીશ અને ભ્રાતા બલભદ્રને પારંપરિક મામેરું અર્પણ કરાયું હતુ. જોકે, બહેન સુભદ્રા માટે વિશેષ મામેરું તૈયાર કરાયું હતું. તેમને માતા પાર્વતીના શણગારથી માંડીને તમામ ચીજો અર્પણ કરવામાં આવી હતી. જે ચીજવસ્તુઓની પસંદગી કરવામાં આવી તે ઉત્કૃષ્ટ છે. તેમની નથણી અને ચાંદીનાં પાયલ, જ્વેલરી બેંગોલી ડિઝાઈનની બનાવાઇ હતી. કચ્છ અને સુરતથી કાપડ લાવીને બંધુઓના વાઘા તૈયાર કરાયા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments