Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં ભગવાન જગદીશના મામેરાનો લહાવો મોસાળિયાને ૧૪૦ વર્ષે મળ્યો

Webdunia
બુધવાર, 21 જૂન 2017 (16:21 IST)
અમદાવાદમાં ભગવાન જગદીશની રથયાત્રા નજીક આવી રહી છે. હાલમાં ભગવાન, ભ્રાતા અને બહેન મોસાળમાં છે ત્યારે ભગવાનનું મોસાળ ગણાતા સરસપુરના રહીશને જ ૧૪૦ વર્ષે પ્રથમવાર મામેરુ કરવાનું નસીબ થયું છે. મામેરામાં ભગવાનના વાઘા-રત્નજડિત મુગટ સહિત સુભદ્રાજીના તમામ શણગાર ભેટસોગાદરૂપે ભગવાનને અર્પણ કરવામાં આવે છે. સરસપુરના બાબુભાઈ માવાવાળાને લહાવો મળતાં સમગ્ર સરસપુરમાં ઉજવણીનો માહોલ છે. મંગળવારે જે મામેરું થયું તે અંદાજે ૨૦થી ૨૫ લાખનું છે. ૨૦૧૫માં એક ભક્તે ૫૧ લાખનું મામેરું કર્યું હતું. ઉલ્લેખનીય છે, ભાણેજોના મામેરા માટે ૨૦ વર્ષ સુધી વેઇટિંગ  લીસ્ટ છે. એટલે કે 20 વર્ષ સુધી મામેરાનું બુકિંગ થઇ ગયું છે.

બાબુભાઈએ જણાવ્યું હતું કે અમે એક વર્ષથી આ પ્રસંગ માટે તૈયારી કરી રહ્યા હતા. ભગવાન જગદીશ અને ભ્રાતા બલભદ્રને પારંપરિક મામેરું અર્પણ કરાયું હતુ. જોકે, બહેન સુભદ્રા માટે વિશેષ મામેરું તૈયાર કરાયું હતું. તેમને માતા પાર્વતીના શણગારથી માંડીને તમામ ચીજો અર્પણ કરવામાં આવી હતી. જે ચીજવસ્તુઓની પસંદગી કરવામાં આવી તે ઉત્કૃષ્ટ છે. તેમની નથણી અને ચાંદીનાં પાયલ, જ્વેલરી બેંગોલી ડિઝાઈનની બનાવાઇ હતી. કચ્છ અને સુરતથી કાપડ લાવીને બંધુઓના વાઘા તૈયાર કરાયા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments