rashifal-2026

અલ્લાહનો પહેલો મહિનો મોહરમ

Webdunia
ઈસ્લામી એટલે કે હિજરી સનનો પહેલો મહિનો મોહરમ છે. હિજરી સનનો આગાજ આ જ મહિનાથી થાય છે. આ મહિનાને ઈસ્લામના ચાર પવિત્ર મહિનાઓમાં શુમાર કરવામાં આવે છે. અલ્લાહના રસૂલ  હજરત મોહમ્મદ સ.અ.વ  એ આ  મહિનાને અલ્લાહનો મહિનો કહ્યો છે. સાથે સાથે આ મહિનાની અંદર રોજા રાખવા તે ખુબ જ સારા છે તેવું પણ જણાવ્યું છે. 
 
મુખ્તલિફ હદીસો, એટલે હજરત મુહમ્મદના કથન અને કર્મથી મોહરમની પવિત્રતા અને આની કિંમતની જાણ કરાવે છે. આવી રીતે જ હજરત મોહમ્મદ સ.અ.વ  એ એક વખત મોહરમ વિશે જણાવતાં કહ્યું હતું કે તે અલ્લાહનો મહિનો છે. તેને જે ચાર પવિત્ર મહિનાઓમાં રાખવામાં આવ્યાં છે તેમાંથી બે મહિના મોહરમ પહેલાં આવે છે. આ બંને મહિના છે જિકાદા અને જીલહિજ્જ. 
 
એક હદીસ અનુસાર અલ્લાહના રસૂલ હજરત મોહમ્મદ સ.અ.વ   એ કહ્યું કે રમઝાન સિવાય સૌથી ઉત્તમ રોજા તે છે જે અલ્લાહના મહિનામાં એટલે કે મોહરમ વખતે રાખવામાં આવે છે. આ કહેતી વખતે નબી-એ-કરીમ હજરત મોહમ્મદ સ.અ.વ   એ એક વાત વધારે જોડી કે જે રીતે અનિવાર્ય નમાજો પછી સૌથી જરૂરી નમાજ તહજ્જુદ કરી છે તેવી જ રીતે રમજાનના રોઝા બાદ સૌથી ઉત્તમ રોઝા મોહરમના છે. 
 
એક સંજોગની વાત છે કે આજે મહોરમની આ રીત બધાની નજરથી દૂર છે અને આ મહિનામાં અલ્લાહની ઈબાદત કરવા માટે ખાસ પ્રકારના રોઝા રાખવાની જ્ગ્યાએ એવા કાર્ય કરવામાં આવે છે જેનો કોઈ જ અર્થ નથી હોતો. જ્યારે કે પેંગબરે-ઈસ્લામે આ મહિનામાં ખુબ જ રોઝા રાખ્યા અને પોતાના સાથીઓનું ધ્યાન પણ આ તરફ આકર્ષિત કર્યું હતું. આ વિશે ઘણી પ્રમાણિક ઘટનાઓ છે.
 
મોહરમની  ઈબાદતને પણ સૌથી મોટો સવાબ કહ્યો છે. હજરત મોહમદના સાથી ઈબ્ને અબ્બાસના પ્રમાણે હજરત મોહમ્મદ સ.અ.વ   એ  કહ્યું છે કે જેણે મોહરમનનો રોઝો રાખ્યો તેના બે વર્ષના પાપ માફ થઈ જાય છે તથા મોહરમના એક રોઝાનો સવાબ 30 રોઝા બરાબર મળે છે. ગોયા એ કે મોહરમના મહિનામાં ખુબ જ રોઝા રાખવા જોઈએ. આ રોજા જરૂરી નથી પરંતુ મોહરમના રોઝાઓનો બહુ સવાબ છે. 
 
હજરત મોહમ્મદના નજીક રહેલ ઈબ્ને અબ્બાસની વાત આ પ્રસંગે ખાસ યાદ કરવામાં આવે છે. તેમના અનુસાર જ્યારે અલ્લાહના રસૂલ મદિના તશરીફ લાવ્યા ત્યારે જોયું કે યહૂદી આ દિવસે રોઝા રાખે છે. હજરત મોહમ્મદ સ.અ.વ   એ જ્યારે તેમને પુછ્યું કે તમે આજના દિવસે રોઝા કેમ રાખો છો તો યહૂદીઓએ જવાબ આપ્યો કે આ તે પ્રતિષ્ઠિત દિવસ છે જે દિવસે હજરત મૂસા તેમજ તેમના અનુયાયિઓને અલ્લાહે બચાવ્યા હતાં અને ફિરઔન તેમજ તેના લશ્કરે ડુબાવી દિધું હતું. ત્યારથી મૂસા અલ્લાહનો આભાર માનવા માટે આ દિવસે રોજા રાખે છે. 
 
આ સાંભળીને હજરત મોહમ્મદ સ.અ.વ  ફરમાવ્યું કે અમે તમારા કરતાં પણ મૂસાની વધારે નજીક છીએ. ત્યારથી આ દિવસે ફક્ત હજરત મોહમ્મદ એકલા એ જ નહિ પરંતુ તેમના સાથીઓને પણ આ દિવસથી રોઝા રાખવા માટે પ્રેરિત કરતાં રહ્યાં. સાથે સાથે આશૂરેની સાથે અરફે એટલે કે 9 મોહરમના રોઝા રાખવાનો હુકમ પણ કર્યો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લીવર કિડનીને સાફ કરવામાં અસરદાર છે આ ૩ શાકભાજી, રોજ ખાવાથી ક્લીન રહેશે કિડની, ડાયેટમાં કરો સામેલ

સાબુદાણાથી સ્વાદિષ્ટ ફ્રૂટ કસ્ટર્ડ બનાવો, તમે ઉપવાસ દરમિયાન પણ તેનો પ્રયાસ કરી શકો છો, રેસીપી ખૂબ જ સરળ છે.

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

Health Tips: ભૂલથી પણ આ લોકોએ ખાલી પેટે ચા ન પીવી જોઈએ, મોડું થાય તે પહેલાં જાણી લો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

વધુ જુઓ..

નવીનતમ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 24 માર્ચ

Lakshmi Panchami 2026: આજે લક્ષ્મી પંચમીના દિવસે જરૂર કરો લક્ષ્મી ચાલીસાનો પાઠ, ધન ધાન્યથી ભરાય જશે ઘરનો ભંડાર

Aaj nu panchang - આજનુ પંચાંગ -23 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાંગ -22 માર્ચ

Aaj Nu Panchang - આજનું પંચાંગ - 21 માર્ચ

આગળનો લેખ
Show comments