Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ધર્મ ગ્રંથ ઘરમાં નથી મુકવામાં આવતો ? કેમ ?

Webdunia
સોમવાર, 30 એપ્રિલ 2018 (03:05 IST)
ગ્રંથ ધર્મ શાસ્ત્ર બતાવે છે કે આપણે કેવુ જીવન જીવવુ જોઈએ. આપણા વિચાર કેવા હોવા જોઈએ. આપણા કર્તવ્ય અને અધિકાર શુ છે. આવા જ અનેક પ્રશ્નોના ઉત્તર ગ્રંથોમાં મળી જાય છે. આ કારણે બધા માટે ગ્રંથોનો અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે.  જીવનની દરેક પરિસ્થિતિનો ઉકેલ આપણા શાસ્ત્રોમાં આપેલો છે. 
 
મોટાભાગના હિન્દુ પરિવારોમાં ઘર્મ ગ્રંથના નામ પર રામચરિતમાનસ કે પછી શ્રીમદ ભાગવત પુરાણ જ મળે છે. મહાભારત જેને પાંચમો વેદ ગણવામાં આવે છે. તેને ઘરમાં નથી મુકવામાં આવતો. વિદ્વાનો કે વડીલોને પૂછવામાં આવે તો જવાબ મળે છે કે મહાભારત ઘરમાં મુકવાથી ઘરનુ વાતાવરણ અશાંત થાય છે. ભાઈઓમાં ઝગડો થાય છે. શુ ખરેખર આવુ છે ? જો આ એક માત્ર માન્યતા છે તો પછી હકીકત શુ છે ? કેમ રામાયણને ઘરમાં સ્થાન આપવામાં આવે છે પણ મહાભારતને નહી... આવો જાણીએ.. 
હકીકતમાં મહાભારત સંબંધોનો ગ્રંથ છે. પારિવારિક, સામાજીક અને વ્યક્તિગત સંબંધોનો ગ્રંથ. આ ગ્રંથમાં અનેક વાતો એવી છે જે સામાન્ય બુદ્ધિવાળા માણસ નથી સમજી શકતા. પાંચ ભાઈઓના પાંચ જુદા જુદા પિતાથી લઈને એક મહિલાના પાંચ પતિ સુધી. બધા સંબંધોને એટલા ઝીણવટપૂર્વક બતાવ્યા છે કે સામાન્ય માણસ તેની ગંભીરતા અને પવિત્રતાને સમજી નથી શકતો. એ તેને વ્યાભિચાર માની લે છે અને આનાથી સમાજમાં સંબંધોનુ પતન થઈ શકે છે.  મતલબ પુરૂષ કહેશે કે પહેલા ભગવાન પણ વધુ પત્નીઓ રાખતા હતા તો હુ બે લગ્ન કેમ ન કરુ.. સ્ત્રી કહેશે કે દ્રોપદીના પાંચ પતિ હતા તો હુ એક કરતા વધુ સંબંધો બનાવુ એમા વાંધો કેમ ?  તેથી ભારતીયો મહાપુરૂષોએ મહાભારતને ઘરમાં મુકવાની મનાઈ કરી છે. કારણ કે દરેક વ્યક્તિ આ ગ્રંથમાં બતાવેલ સંબંધોની પવિત્રતાને સમજી શકતો નથી.  તેમા જે ઘર્મનુ મહત્વ બતાવ્યુ છે તે પણ સામાન્ય બુદ્ધિથી નથી સમજી શકાતુ. આ માટે ઊંડો અભ્યાસ અને પછી ગંભીર ચિંતન કરવાની જરૂર હોય છે. તે દરેકના ગજાની વાત નથી. એ માટે મહાભારત ગ્રંથને ઘરમાં મુકવામાં આવતુ નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૂતા પહેલા મીઠાના પાણીથી મોં કોગળા કરવાથી શું થાય છે? તેના ફાયદા અને ઉપયોગની યોગ્ય વિધિ વિશે જાણો.

મસાલેદાર સરગવાનુ શાક

સવારે ખાલી પેટ જીરૂ અને અજમાનું પાણી પીવાથી શું થાય છે ? અહી જાણી લો તેના હેલ્થ બેનિફિટસ

શાહી ગુલાબ પિસ્તા બરફી

કાઠિયાવાડી ખાટા મગની રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જૂન 2026

Somwat Vrat 2026: સોમવારે ભગવાન શિવની પૂજા દરમિયાન બિલકુલ ન કરશો આ ભૂલો, નહિ તો નહિ મળે પૂજાનો પૂર્ણ લાભ

Shambhu Stuti: ભગવાન રામે શંભુ સ્તુતિની રચના શા માટે કરી? તેના નિયમો, ગીતો અને ફાયદા જાણો

અધિક માસ સ્પેશિયલ ફરાળ- સાબુદાણાના વડા

અધિક માસમાં સત્યનારાયણ કથાનું ધાર્મિક મહત્વ

આગળનો લેખ
Show comments