Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ધર્મ ગ્રંથ ઘરમાં નથી મુકવામાં આવતો ? કેમ ?

Webdunia
સોમવાર, 30 એપ્રિલ 2018 (03:05 IST)
ગ્રંથ ધર્મ શાસ્ત્ર બતાવે છે કે આપણે કેવુ જીવન જીવવુ જોઈએ. આપણા વિચાર કેવા હોવા જોઈએ. આપણા કર્તવ્ય અને અધિકાર શુ છે. આવા જ અનેક પ્રશ્નોના ઉત્તર ગ્રંથોમાં મળી જાય છે. આ કારણે બધા માટે ગ્રંથોનો અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે.  જીવનની દરેક પરિસ્થિતિનો ઉકેલ આપણા શાસ્ત્રોમાં આપેલો છે. 
 
મોટાભાગના હિન્દુ પરિવારોમાં ઘર્મ ગ્રંથના નામ પર રામચરિતમાનસ કે પછી શ્રીમદ ભાગવત પુરાણ જ મળે છે. મહાભારત જેને પાંચમો વેદ ગણવામાં આવે છે. તેને ઘરમાં નથી મુકવામાં આવતો. વિદ્વાનો કે વડીલોને પૂછવામાં આવે તો જવાબ મળે છે કે મહાભારત ઘરમાં મુકવાથી ઘરનુ વાતાવરણ અશાંત થાય છે. ભાઈઓમાં ઝગડો થાય છે. શુ ખરેખર આવુ છે ? જો આ એક માત્ર માન્યતા છે તો પછી હકીકત શુ છે ? કેમ રામાયણને ઘરમાં સ્થાન આપવામાં આવે છે પણ મહાભારતને નહી... આવો જાણીએ.. 
હકીકતમાં મહાભારત સંબંધોનો ગ્રંથ છે. પારિવારિક, સામાજીક અને વ્યક્તિગત સંબંધોનો ગ્રંથ. આ ગ્રંથમાં અનેક વાતો એવી છે જે સામાન્ય બુદ્ધિવાળા માણસ નથી સમજી શકતા. પાંચ ભાઈઓના પાંચ જુદા જુદા પિતાથી લઈને એક મહિલાના પાંચ પતિ સુધી. બધા સંબંધોને એટલા ઝીણવટપૂર્વક બતાવ્યા છે કે સામાન્ય માણસ તેની ગંભીરતા અને પવિત્રતાને સમજી નથી શકતો. એ તેને વ્યાભિચાર માની લે છે અને આનાથી સમાજમાં સંબંધોનુ પતન થઈ શકે છે.  મતલબ પુરૂષ કહેશે કે પહેલા ભગવાન પણ વધુ પત્નીઓ રાખતા હતા તો હુ બે લગ્ન કેમ ન કરુ.. સ્ત્રી કહેશે કે દ્રોપદીના પાંચ પતિ હતા તો હુ એક કરતા વધુ સંબંધો બનાવુ એમા વાંધો કેમ ?  તેથી ભારતીયો મહાપુરૂષોએ મહાભારતને ઘરમાં મુકવાની મનાઈ કરી છે. કારણ કે દરેક વ્યક્તિ આ ગ્રંથમાં બતાવેલ સંબંધોની પવિત્રતાને સમજી શકતો નથી.  તેમા જે ઘર્મનુ મહત્વ બતાવ્યુ છે તે પણ સામાન્ય બુદ્ધિથી નથી સમજી શકાતુ. આ માટે ઊંડો અભ્યાસ અને પછી ગંભીર ચિંતન કરવાની જરૂર હોય છે. તે દરેકના ગજાની વાત નથી. એ માટે મહાભારત ગ્રંથને ઘરમાં મુકવામાં આવતુ નથી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

આગળનો લેખ
Show comments