Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sankashti Chaturthi 2022 - જાણો સંકટોને હરનારી સંકષ્ટી ચતુર્થીનુ મહત્વ, આ દિવસે કરો આ ઉપાય થઈ જશો માલામાલ

Webdunia
ગુરુવાર, 14 જુલાઈ 2022 (15:21 IST)
માઘ મહિનામાં આવતા વિવિધ તહેવારોમાં સંકષ્ટી ચતુર્થી એક પૌરાણિક તહેવાર છે. તેને બોલચાલની ભાષામાં 'સંકટ ચોથ' અથવા 'સકત' તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય કેલેન્ડર મુજબ, દર મહિનામાં બે ચતુર્થી તિથિઓ હોય છે. પ્રથમ શુક્લ પક્ષમાં જેને 'વિનાયકી ચતુર્થી' કહેવાય છે, બીજા કૃષ્ણ પક્ષમાં જેને 'સંકષ્ટિ ચતુર્થી' કહેવાય છે. આ ચતુર્થીના તહેવારોમાં માઘ માસના કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થીનું વિશેષ મહત્વ છે. જુલાઈ 2022 માં સંકષ્ટી ચતુર્થી 16 જુલાઈ શનિવારના 2022ના રોજ આવી રહી છે. 

પરેશાનીઓને દૂર કરનાર આ ચતુર્થી પર્વને 'માઘી ચતુર્થી' અને 'તિલકુટ ચોથ' તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રો મુજબ આ નિર્જલા વ્રત સૌપ્રથમ માતા પાર્વતી દ્વારા તેમના પુત્ર ગણેશની શુભકામનાઓ માટે કરવામાં આવ્યું હતું. ત્યારથી, હિન્દુ ધર્મની મહિલાઓ તેમના બાળકોના લાંબા અને સુખી જીવનની ઇચ્છા સાથે આ વ્રતનું પાલન કરે છે. આ દિવસે ચોથ માતા (પાર્વતી) અને વિઘ્નહર્તા ગણેશની જળ, અક્ષત, દુર્વા, લાડુ, પાન અને સોપારીથી પૂજા કરવાની લોક પરંપરા છે.
 
 
-ચોથના દિવસે ઘરમાં ગણેશ યંત્રની સ્થાપના કરવી જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 
- સંકષ્ટી ચતુર્થીના દિવસે 108 વાર વક્રતૃળ્ડાય હૂં મંત્રનો જાપ કરવાથી ઘરમાં સુખ-શાંતિ કાયમ રહે છે. 
-  સંકટ ચોથના દિવસે ગણેશજીની મૂર્તિ સામે બેસીને ૐ ગણ ગણપતયે નમ: મંત્રનો 1008 વાર જાપ કરો. તેનાથી બધા અવરોધ દૂર થશે. 
- ઘન સંબંધી પરેશાનીથી મુક્તિ મેળવવા માટે ગણેશજીની વિધિ વિધાનપૂર્વક પૂજા કર્યા બાદ ગોળ અને ઘીનો ભોગ લગાવો. પછી આ ભોગને ગાયને ખવડાવો 
- ચોથના દિવસે હાથીને લીલુ ઘાસ ખવડાવવાથી ગણેશજી પ્રસન્ન થાય છે અને પરેશાનીઓ દૂર કરે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments