rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માન-સન્માન અને કીર્તિ, માટે કરો આ 6 સરળ ઉપાય

remedies for respect
જો તમે ઈચ્છો છો કે તમારા કાર્યની સર્વત્ર વખાણ હોય લોકો તમારું સમ્માન કરે તમારી યશકીર્તિ વધે તો રાત્રે સૂતા પહેલા માથાની પાસે તાંબાના વાસણમાં જળ ભરીને મૂકો અને સવારે આ જળને તમારા ઉપરથી સાત વાત ઉતારીને કોઈ કાંટાવાળા ઝાડની મૂળમાં નાખી દો. આવું નિયમિત 40 દિવસ સુધી કરબાથી જરૂર લાભ મળશે. 
-દરરોજ સવારે ઉઠીને સૂર્યને  જળ ચઢાવવું જોઈએ. સ્નાન વગેરે કામ પછી તાંબાના વાસણમાં પાણી ભરો અને તેમાં લાલ ફૂલ, કંકુ અને ચોખા નાખી સૂર્યને જળ ચઢાવવું. જળ ચઢાવતા સમયે આ મંત્ર જાપ કરવું. \
 
ૐ સૂર્યાય નમ:   
આ ઉપાયથી માણસને સમાજમાં પ્રસિદ્ધી મળે છે. 
 
-શુભ મૂહૂર્તમાં પીપળના ઝાડમાં જળ અર્પિત કરવું જોઈએ. શાસ્ત્રોની માન્યતા છે કે પીપળ ભગવાન શ્રીહરિનો સ્વરૂપ છે અને તેમાં બધા દેવી-દેવતાઓનો વાસ છે. આ કારણે જે લોકો પીપળની પૂજા કરે છે, જળ ચઢાવે છે તેને બધા પ્રકારની સુખ-સુવિધા પ્રાપ્ત હોય છે. 
webdunia

 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rangoli - હર્ષ-ઉલ્લાસ અને શુભ સંદેશ લઈને આવે છે