Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nautapa 2025 : નૌતપા દરમિયાન સૂર્યદેવના આશીર્વાદ મેળવવા માટે કરો આ સરળ ઉપાય, જીવનમાં ક્યારેય નહીં આવે પૈસાની કમી

Webdunia
ગુરુવાર, 22 મે 2025 (17:16 IST)
Nautapa
Nautapa 2025 : જ્યેષ્ઠ મહિનામાં આવતા નવ દિવસના તીવ્ર ગરમીને નૌતપ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન, સૂર્ય પૃથ્વીની ખૂબ નજીક હોય છે, જેના કારણે તીવ્ર ગરમી પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં નૌતપાનું વિશેષ મહત્વ છે. નૌતપાના નવ દિવસ આધ્યાત્મિક અભ્યાસ અને આત્મશુદ્ધિનો સમય માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં સૂર્ય મજબૂત હોય છે તેઓ નેતૃત્વ, વહીવટ, પ્રતિષ્ઠા અને સંપત્તિના ક્ષેત્રોમાં પ્રગતિ કરે છે. તેથી, આ સમયે સૂર્ય દેવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવો અત્યંત ફળદાયી છે. એવું માનવામાં આવે છે કે આ નવ દિવસોમાં સૂર્યદેવની પૂજા કરવાથી તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી. અમને જણાવો.
 
ક્યારથી શરૂ થઈ રહ્યો છે નૌતપા ?
પંચાગ મુજબ વર્ષ 2025 માં સૂર્યદેવ 25 મે ના રોજ સવારે 3 વાગીને 27 મિનિટ પર રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 8 જૂન સુધી આ નક્ષત્રમાં વિરાજમાન રહેશે.  આ અવધિને જ નૌતપા કહેવામાં આવે છે.  
 
ધનની કમી દૂર કરવા માટે નૌતપામાં કરો આ સહેલા ઉપાય 
 
 નિયમિત રૂપે સૂર્યને અર્ધ્ય આપો 
નૌતપા દરમિયાન રોજ સવારે ઉઠીને સ્નાન કરો અને તાંબાના લોટામાં જળ ભરીને તેમા લાલ ફૂલ અને ચોખા નાખીને સૂર્યદેવને અર્ધ્ય આપો. અર્ધ્ય આપતી વખતે સૂર્ય મંત્રોનો જાપ કરો. 
 
સૂર્યના બીજ મંત્રનો જાપ કરો 
"ૐ હ્રાં હ્રીં હૌ સ: સૂર્યાય નમ: આ સૂર્ય બીજ મંત્રનો નિયમિત રૂપથી જાપ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.  
 
આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કરો 
 
આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કરવો સૂર્યદેવને પ્રસન્ન કરવાના અચૂક ઉપાય છે. તેનાથી તેજ, યશ અને ધનની પ્રાપ્તિ થાય છે.  
 
દાન કરો 
નૌતપામાં તમારી ક્ષમતા મુજબ ગોળ, ઘઉ, તાંબા, લાલ વસ્ત્ર વગેરેનુ દાન કરવ અતિ શુભ માનવામાં આવે છે. તેનાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને ઘરમાં બરકત આવે છે.  
 
પિતાનુ સમ્માન કરો 
સૂર્યને પિતાનો કારક માનવામાં આવે છે. તેથી નૌતપા દરમિયાન તમારા પિતાનુ સમ્માન કરો અને તેમનો આશીર્વાદ લો  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પાપડનું શાક રેસીપી

Shravan Puja Thali - શ્રાવણના સોમવારે પૂજાની થાળી સજાવો, આ સરળ રીતો વાંચો

ફૈટી લિવર છે તો આજે જ બદલો આ આદતો, ડોક્ટરે જણાવી બીમારી કંટ્રોલ કરવાની સહેલી રીત

શ્રાવણ સોમવારમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

Uric Acid: ચોમાસામાં ભૂલથી પણ ન ખાશો આ શાકભાજી, વધી શકે છે યૂરિક એસિડ

વધુ જુઓ..

નવીનતમ

Shravan Puja Thali - શ્રાવણના સોમવારે પૂજાની થાળી સજાવો, આ સરળ રીતો વાંચો

શ્રાવણ સોમવારના વ્રતમાં શુ ખાવુ જોઈએ ? જાણો શુ છે આ વ્રતના નિયમ

શ્રાવણ સોમવારમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

શ્રાવણીયા સોમવાર ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3 ઓગસ્ટ, 2026

આગળનો લેખ
Show comments