Webdunia - Bharat's app for daily news and videos

Install App

Narad Jayanti 2023: આજે નારદ જયંતી, જાણો કેવી રીતે થયો નારદ મુનિનો જન્મ

Webdunia
શુક્રવાર, 5 મે 2023 (15:12 IST)
Narad Jayanti 2023: નારદ જયંતિ દેવઋષિ નારદ મુનિની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. નારદ જયંતી દર વર્ષે જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ આવે છે

હિન્દુ પંચાગ મુજબ નારદ જયંતુઇ મુનિને દેવતઓના સંદેશવાહક  કહેવાય છે.  એ ત્રણેય લોકોમાં સંવાદના માધ્યમ બનતા હતા.  ઋષિ નારદ મુનિ ભગવાન વિષ્ણુ  (Lord Vishnu) ના અનન્ય ભક્ત અને પરમ પિતા બ્રહ્માજીના (Lord Brahma)માનસ સંતાન કહેવાય છે. નારદ મુનિના એક હાથમાં વીણા છે અને બીજા હાથમાં વાદ્ય યંત્ર છે. ઋષિ નારદ મુનિ પ્રકાંડ વિદ્વાન્ન હતા. તેઓ દરેક સમયે નારાયણ-નારાયણનો જાપ કરતા હતા. નારાયણ વિષ્ણુ ભગવાનનુ જ એક નામ છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે નારદજીની  પૂજા-આરાધના કરવાથી ભક્તોને બળ, બુદ્ધિ અને સાત્વિક શક્તિ પ્રાપ્ત થાય છે. 
 
નારદ જયંતિની પૂજા વિધિ Narad Jayanti Puja vidhi 
 
સૂર્યોદય પહેલાં સ્નાન કરો. વ્રતનો સંકલ્પ લો. સ્વચ્છ કપડા પહેરીને પૂજા અર્ચના કરો. નારદમુનિને ચંદનથી, તુલસીના પાન, કુમકુમ, અગરબત્તી અને પુષ્પ અર્પિત કરો.   સાંજે પૂજા કર્યા પછી ભક્ત ભગવાન વિષ્ણુની આરતી કરે. દાન પુણ્યનુ કાર્ય કરો. બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને કપડાં અને પૈસાનુ દાન કરો.
 
આ રીતે થયો હતો નારદમુનિનો જન્મ 
 
પૌરાણિક કથા અનુસાર, નારદ મુનિ બ્રહ્માજીના માનસ પુત્ર છે. બ્રહ્માજીનો માનસ પુત્ર બનવા માટે, તેમણે પાછલા જીવનમાં ખૂબ જ તપસ્યા કરી હતી. એવું કહેવામાં આવે છે કે પાછલા જીવનમાં નારદ મુનિનો જન્મ ગંધર્વ કુળમાં થયો હતો અને તેમને તેમના રૂપ પર ખૂબ જ ઘમંડ હતુ,.  પૂર્વ જન્મમાં તેનું નામ ઉપબર્હણ હતું. એકવાર કેટલીક અપ્સરાપ અને ગંધર્વ,  ગીત અને નૃત્ય સાથે ભગવાન બ્રહ્માની પૂજા કરી રહ્યા હતા. પછી ઉપબર્હણ ત્યા સ્ત્રીઓ સાથે શ્રૃંગારભાવથી ત્યા આવ્યા, આ જોઈને બ્રહ્માજી ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને ઉપબર્હણને શ્રાપ આપ્યો કે તે શુદ્ર યોનિમાં જન્મ લેશે.  
 
બ્રહ્માજીના શ્રાપથી ઉપબર્હણનો એક દાસીના પુત્ર તરીકે જન્મ થયો હતો. બાળકે પોતાનુ પુર્ણ જીવન ઈશ્વરની ભક્તિમાં લગાવવાનો સંકલ્પ લીધો અને ઈશ્વરને જાણવા અને તેના દર્શન કરવાની ઈચ્છા જન્મી  બાળકના સતત તપ પછી એક દિવસ આકાશવાણી થઈ, હે બાળક આ જન્મમાં તમને ભગવાનના દર્શન નહી થાય પણ આવતા જન્મમાં તમે તેમના પાર્ષદના રૂપમાં તેમને એકવાર ફરી પ્રાપ્ત કરશો. 
Edited BY-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

આ કારણોને લીધે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વજન ઘટાડવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે

Child Story - મદદ કરવી હોય તો કરો, ખાલી સલાહ ન આપો

શું તમે ચાલવાના ફાયદાઓ વિશે જાણો છો? જો નહીં, તો તમારે દરરોજ ફક્ત અડધો કલાક વોક કરીને જરૂર જોવું જોઈએ.

વધુ જુઓ..

નવીનતમ

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Good Friday 2025: ગુડ ફ્રાઈડે કેમ ઉજવીએ છીએ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરશો આ કામ, રિસાઈને જતી રહેશે ધનની દેવી લક્ષ્મી

Akshay Tritiya 2025: અખાત્રીજ પર તમારા મૂલાંક મુજબ ખરીદો વસ્તુ, ધનની ક્યારેય નહી રહે કમી, જાણો તમારે માટે શુ છે શુભ

આગળનો લેખ
Show comments