Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે અગિયારસ અને મંગળવારનો શુભ યોગ, કષ્ટોથી બચવા સુખ પ્રાપ્તિ માટે કરો આ ઉપાય

Webdunia
મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (11:01 IST)
આજે 17 મે મંગળવારના રોજ વૈશાખ માસના શુક્લ પક્ષની અગિયારસ તિથિ છે. આ મોહિની એકાદશીના નામથી ઓળખાય છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનુ વિધાન છે. કારણ કે આજે મંગળવાર પણ છે જે શ્રી રામ ભક્ત હનુમાનજીને સમર્પિત છે. સૂરજ આથમ્યા પછી કેટલાક ઉપાય કરવાથી કષ્ટોના ભાગીદાર બનવાથી બચી શકો છો અને જીવનની દરેક ખુશી પ્રાપ્ત કરી શકો છો. 
- સાંજે પાંચ વાગ્યા પછી એક નારિયળને હનુમાન મૂર્તિ સામે તમારા માથા પરથી સાત વાર ઉતારીને વધેરી નાખો. તેનાથી માનસિક શાંતિ અને પરેશાનીઓથી રાહત મળશે. 
 
- સૂરજ આથમ્યા પછી ઈચ્છા પૂર્તિ માટે સિંદૂર લગાવેલ નારિયળ પર લાલ દોરો લપેટીને હનુમાનજીના ચરણોમાં ચઢાવતા હનુમાન ચાલીસાની એક ચોપાઈનો જાપ કરો. 
 
- હનુમાનજીને લાલ, પીલા ફૂલ જેવા ગુલાબ, કમળ, ગેંદાના ફૂલ, સૂર્યમુખી અર્પિત કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે. 
 
- બળ બુદ્ધિ અને વિદ્યા માટે નારિયળ અથવા ગોળના બનેલ લાડવાનો ભોગ લગાવો. 
 
- ઘરમાં શાંતિ સ્થાપિત કરવા અને ક્લેશને દૂર કરવા માટે લાલ ચંદનમાં કેસર નાખીને  હનુમાનજીની મૂર્તિ પર લગાવો. 
- જીવનની મુશ્કેલીઓને દૂર કરવા માટે હનુમાનજીની મૂર્તિ સામે ચમેલીના તેલની પાંચ બત્તીઓવાળો દીવો પ્રગટાવીને આ મંત્રનુ ઉચ્ચારણ કરો. 
 
સાજ્યં ચ વર્તિસં યુક્ત વહિનનાં યોજિતં મયા 
દીપં ગૃહાણ દેવેશ પ્રસીદ પરમેશ્વર.
 
- અવરોધોને દૂર કરવા અને કાર્ય પૂર્ણ કરવા માટે હનુમાનજીને આંકડાના પુષ્પ અર્પિત કરો. 
 
- રાતના સમયે ફળોનો ભોગ લગાવો. એવુ કહેવાય છે કે જામફળ, કેરી, દાડમ વગેરે ફળ હનુમાનજીને ખૂબ પ્રિય છે.  મીઠા ફળોનો ભોગ લગાવીને સફળતા પ્રાપ્ત કરી શકાય છે. 
 
- હનુમાનજીની મૂર્તિ સામે 108 વાર ૐ રામાય નમ:, શ્રી રામ યા સીતારામનો જાપ કરવાથી હનુમાનજી ખુશ થાય છે. 
 
- શનિ કે કુંડળીના દોષ નિવારણ માટે દક્ષિણામુખી કે પંચમુખી હનુમાનને નારિયળ અર્પિત કરો અને તેમના ચરણોનુ સિંદૂર તમારા માથા પર લગાવો. 
 
- હનુમાનજીને તલના તેલમાં સિંદૂર ભેળવીને ચોલા ચઢાવો અને આ મંત્રનો જાપ કરો. 
 
સિન્દૂરં શોભનં રક્તં સૌભાગ્યસુખવર્ધનમ 
શુભદં ચૈવ માડગલ્યં સિન્દૂરં પ્રતિગૃહયતામ 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments