Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mauni Amavasya 2023: મૌની અમાવસ્યાના દિવસે કરો રાશિ મુજબ દાન, મળશે મનપસંદ વરદાન

Webdunia
શુક્રવાર, 20 જાન્યુઆરી 2023 (18:10 IST)
Mauni Amavasya 2023: માઘ માસની અમાવસ્યાને મૌની અમાવસ્યા કહેવાય છે. હિંદુ ધર્મ અનુસાર આ તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મૌની અમાવસ્યાના દિવસે મૌન ધારણ કરીને સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતી પૂજા અને દાન અન્ય દિવસો કરતાં હજારો ગણું વધુ ફળ આપે છે. આ વર્ષે મૌની અમાવસ્યાએ 21 જાન્યુઆરીએ  ઉજવાશે.  આ દિવસે કરવામાં આવેલ દાન અખૂટ ફળ આપે છે. જ્યોતિષી  મુજબ  આવો જાણીએ કે આ મૌની અમાવસ્યા પર કઈ રાશિને કઈ વસ્તુઓનું દાન કરવું સૌથી વધુ ફાયદાકારક રહેશે. .
 
મેષ :- મેષ રાશિનો  રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે તેથી મૌની અમાવસ્યાના દિવસે મેષ રાશિના લોકોએ તલ અને ઘઉંનું દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે.
 
વૃષભ રાશિ :- વૃષભનો  રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. તેથી આ રાશિના વ્યક્તિએ જવ અને ખાંડનું દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
 
મિથુન:- મિથુન રાશિનો સ્વામી બુધ છે, તેથી આ દિવસે મિથુન રાશિના લોકોએ કોઈપણ સ્ત્રીને લીલા વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ધન અને અનાજની કમી નહીં રહે.
 
સિંહ -  સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે તેથી અમાવાસ્યાના દિવસે સિંહ રાશિના લોકો સૂર્યોદય સમયે સૂર્યદેવને જળ અર્પણ કરે તો માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે.
 
કન્યા - કન્યા રાશિના જાતકોનો સ્વામી ગ્રહ બુધ છે, તેથી કન્યા રાશિના જાતકોએ પ્રાણીઓને લીલા ચાર ખવડાવવા જોઈએ. આ સાથે કઠોળ, તિલકૂટ વગેરેનું દાન પણ કરવું જોઈએ.
 
તુલાઃ- તુલા રાશિના જાતકોનો સ્વામી ગ્રહ શુક્ર છે, તેથી તુલા રાશિના લોકોએ મૌની અમાવસ્યાના દિવસે કન્યાઓને ખીર ખવડાવવી જોઈએ.
 
વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના જાતકોનો સ્વામી મંગળ છે અને તેથી મૌની અમાવસ્યાના દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ તાંબાની વસ્તુઓનું દાન કરવું જોઈએ.
 
ધનુ - ધનુ રાશિના જાતકોનો સ્વામી ગ્રહ ગુરુ છે. તેથી મૌની અન્વાસ્યાના શુભ અવસરે કોઈ મંદિરમાં ચણાની દાળ, ગોળ, મધ વગેરેનું દાન કરો.
 
મકર - શનિ મકર રાશિના જાતકોનો સ્વામી ગ્રહ છે.  તેથી મૌની અમાવસ્યાના દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરો. આમ કરવાથી તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જશે.
 
કુંભ - કુંભ રાશિના જાતકોએ લોખંડની વસ્તુઓ, તલ અને સરસવના તેલનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તમારા વ્યવસાયમાં આવનારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.
 
મીન - મૌની અમાવસ્યાના દિવસે મીન રાશિના લોકોએ પીળા ચંદન, ચણા અને ધાબળાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી મીન રાશિના જાતકોના જીવનમાં કોઈ આર્થિક સમસ્યા નહીં આવે
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments