Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tulsi Vivah 2021: તુલસી વિવાહના દિવસે આર્થિક તંગી દૂર કરવા માટે કરો આ ઉપાય

Webdunia
સોમવાર, 15 નવેમ્બર 2021 (11:39 IST)
Tulsi Mantra: હિન્દુ ધર્મમાં તુલસી પૂજાનુ વિશેષ મહત્વ છે. તુલસીના છોડને પૂજનીય સ્થાન પ્રાપ્ત છે. એટલુ જનહી તુલસી જી ને મા લક્ષ્મીના રૂપમાં માનવામાં આવે છે. કારતક મહિનામાં તુલસી પૂજાનુ વિશેષ મહત્વ કહેવાય છે કે ભગવાન વિષ્ણુજી ને તુલસી ખૂબ પ્રિય છે. તેથી શ્રી હરિ પૂજામાં તુલસી પત્ર જરૂર સામેલ કરો. એવુ કહેવાય્છે કે આવુ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી મનોકામનાઓ પૂરી કરે છે. કારતક મહિનાની દેવઉઠની એકાદશીના દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અવતાર શાલીગ્રામ સાથે તુલસી જી નો વિવાહ કરવામાં આવે છે. 
 
કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠી એકાદશી કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી યોગ નિદ્રામાંથી જાગે છે અને પોતાનો કાર્યભાર સાચવે છે. આ વર્ષે દેવઉઠી એકાદશી 14 નવેમ્બરના રોજ છે. પણ આ વખતે એ જ દિવસે તુલસી વિવાહ નહી કરવામાં આવે. પરંતુ તુલસી વિવાહ 15 નવેમ્બર એટલે કે આજના દિવસે કરવામાં આવશે. 
 
એવુ કહેવાય છે કે તુલસી વિવાહના દિવસે આર્થિક તંગી દૂર કરવા માટે તુલસી પૂજાના સમયે આ મંત્રનો જાપ  (Tulsi Mantra Jaap) કરવામાં આવે તો મનપસંદ ફળ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ આ મંત્રો વિશે.. 
 
તુલસી મંત્ર  
 
- મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની, આધિ વ્યાધિ હરા નિત્યં તુલસી ત્વં નમોસ્તુતે.. 
 
- તુલસીના પાનને સ્પર્શ કરતા આ મંત્રનો જાપ નિયમિત રૂપથી કરવો જોઈએ. કહેવાય છે કે તેના વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. 
 
મંત્ર પહેલા આ વાતોનુ રાખો ધ્યાન (Point Keep In Mind Before Chanting Tulsi Mantra)
 
1. તુલસી મંત્રનો જાપ પહેલા ઈષ્ટ દેવની પૂજા કરો. ત્યારબાદ જ તુલસી મંત્રનો જાપ કરો.  
 
2. મંત્રનો જાપ શરૂ કરતા પહેલા તુલસીને પ્રણામ કરવુ જોઈએ અને છોડમાં શુદ્ધ જળ અર્પિત કર્યા બાદ જ મંત્રનો જાપ શરૂ કરો. 
 
3. ત્યારબાદ તુલસીનો શૃંગાર હળદર અને સિંદૂર ચઢાવીને કરો. ત્યારબાદ તુલસીજી આગળ ઘી નો દીવો પ્રગટાવો અને અગરબત્તી સળગાવો. 
 
4. તુલસીજીના છોડની 7 વાર પરિક્રમા કરો. ત્યારબાદ ઉપર બતાવેલ મંત્રનો જાપ કરો. જાપ પછી તુલસીજીને સ્પર્શ કરીને બધી મનોકામનાઓ બતાવી દો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Bol Choth Katha - બોળચોથ કથા અને પૂજા વિધિ

બોળ ચોથ - તમારા બાળકોને ખુશ જોવા માંગો છો તો રાશિ મુજબ કરો આ ઉપાય

Krishna Janmashtami 2024: જન્માષ્ટમીના દિવસે તુલસીના આ ઉપાયો કરશો તો મળશે ધન, સમૃદ્ધિ અને પારિવારિક સુખ

Janmashtami 2024: ભગવાન શ્રીકૃષ્ણને કોણે આપી હતી તેમની પ્રિય વાંસળી ? જાણો રોચક વાર્તા

Krishna Janmashtami 2024 Date: ક્યારે છે જન્માષ્ટમી ? જાણી લો શુભ મુહુર્ત અને જન્માષ્ટમી વ્રતનુ મહત્વ

આગળનો લેખ
Show comments