Webdunia - Bharat's app for daily news and videos

Install App

Geeta Jayanti: શ્રીમદ્દભાગવત ગીતા ઘરમાં છે તો ભૂલથી પણ ન કરશો આ કામ, ઘરમાં નહી રહે બરકત

Webdunia
સોમવાર, 2 ડિસેમ્બર 2024 (11:15 IST)
geeta jayanti
Geeta Jayanti 2: માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશીને ગીતા જયંતી ઉજવાશે. ગીતામાં લખેલી વાગો શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. આ એકમાત્ર એવો ગ્રંથ છે જેની ઉત્પત્તિ સ્વંય શ્રીકૃષ્ણના શ્રીમુખથી થઈ છે. આ જ કારણ છે કે દર વર્ષે ગીતા જયંતી ઉજવાય છે. 
 
આ દિવસે ગીતાનો પાઠ કરનારાઓ દરેક કાર્યમાં સફળ થાય છે. સુખ સાથે સંપન્નતા આવે છે. શાસ્ત્રો મુજબ જે લોકોના ઘરમાં શ્રીમદભાગવત ગીતા ગ્રંથ રાખ્યો છે તેમને કેટલાક નિયમોનુ પાલન કરવુ જોઈએ, નહી તો જીવન સંકટોથી ઘેરાય જાય છે. 
 
ગીતા પાઠ કરવાનો લાભ 
 
પુરાણો મુજબ જે ઘરમાં નિયમિત રૂપથી ગીતાનો પાઠ કરવામાં આવે છે ત્યા ખુશહાલી કાયમ રહે છે. ગીતામાં ઘર્મ, કર્મ, નીતિ, સફળતા, સુખનુ રહસ્ય છિપાયેલુ છે. જેના પઠન-પાઠથી જીવનની દરેક સમસ્યાનો હલ પ્રાપ્ત થઈ શકે છે.  
 
-  ગીતાનો પાઠ કરવાથી વ્યક્તિમાં કોઈપણ પરિસ્થિતિ સાથે લડવાની કાબેલિયત આવે છે. ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. 
 
- માનસિક પરેશાની અને ગૃહ ક્લેશથી મુક્તિ, વિરોધીનો સામનો કરવાની શક્તિ ગીતા પાઠ કરવાથી પ્રાપ્ત થાય છે. તેમા લખેલા શ્લોક વ્યક્તિને વાસ્તવિકતાથી રૂબરુ કરે છે. 
 
- ગીતા જયંતિના દિવસે ગીતા પાઠ સાથે હવન કરવામાં આવે તો તેનાથી વાસ્તુ દોષ સમાપ્ત થાય છે. 
 
- ગીતાનો નિયમિત પાઠ કરવાથી મૃત્યુ પછી પિશાચની દુનિયામાંથી મુક્તિ મળે છે.
 
શ્રીમદ ભાગવત ગીતા ઘરમાં રાખવાના નિયમો
 
-   ઘરમાં શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ, તો જ પૂર્ણ ફળ મળશે. આ એક ખૂબ જ પવિત્ર ગ્રંથ છે, તેથી તેને સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ જ રાખો.
 
-  ગીતાને સ્નાન કર્યા વિના, ગંદા હાથથી અથવા માસિક સ્રાવ દરમિયાન સ્પર્શ કરશો નહીં. આના કારણે વ્યક્તિ પાપનો દોષી બને છે અને માનસિક અને આર્થિક તણાવ શરૂ થાય છે.
 
-  શ્રીમદ ભાગવત ગીતાને જમીન પર રાખીને વાંચશો નહીં. આ માટે, પૂજા ચોકી અથવા કાથ (લાકડામાંથી બનેલા સ્ટેન્ડ) નો ઉપયોગ કરો. ગીતાને પણ લાલ કપડામાં બાંધીને રાખો.
 
- ગીતા પાઠ કરવા માટે તમારા જ આસનનો ઉપયોગ કરો. બીજાનુ આસન ન લેવુ જોઈએ. તેનાથી પૂજા-પાઠનો પ્રભાવ ઓછો થઈ જાય છે. પાઠ શરૂ કરતા પહેલા ભગવાન ગણેશ અને શ્રીકૃષ્ણનુ સ્મરણ કરો. 
 
- દિવસમાં કોઈપણ સમયે ગીતાનો પાઠ કરી શકો છો. પણ જો કોઈ અધ્યાય શરૂ કરવામાં આવે તો એ દરમિયાન તેને વચ્ચે ન છોડો. પૂરો અધ્યાય વાચ્યા પછી જ ઉઠો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસનો ઘરેલું ઉપાય - આજથી જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો, ડાયાબિટીસ થશે કંટ્રોલ

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

વધુ જુઓ..

નવીનતમ

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના આશીર્વાદ મળશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Good Friday 2025: ગુડ ફ્રાઈડે કેમ ઉજવીએ છીએ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

આગળનો લેખ
Show comments